________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૬ ]
વન રત્નાકર ભાગ-૯ અરે! જ્યાં આત્માના ગુણો છે ત્યાં નજર કરતો નથી, ને જ્યાં આત્માના ગુણો નથી ત્યાં અનંતકાળથી નજર કર્યા કરે છે! આખો દિ' વેપાર કરવામાં ને ભોગ ભોગવવામાં ને બાયડી-છોકરાં સાચવવામાં એમ પાપની ક્રિયામાં ગુમાવી દે છે પણ એનાં ફળ બહુ માઠાં આવશે ભાઈ ! બીજાને (-પુત્રપરિવારને) રાજી કરવામાં ને બીજાથી રાજી થવામાં બધો વખત વેડફી કાઢે પણ એનું ફળ બહુ આકરું આવશે પ્રભુ!
અરે ભાઈ ! કોણ દીકરી ને કોણ બાપ? શું આત્મા કદી દીકરો છે? બાપ છે? એ તો બધો જૂઠો લૌકિક વ્યવહાર બાપા! એ બહારની કોઈ ચીજ તારામાં આવતી નથી, ને તું એ ચીજમાં કદીય જતો નથી. માટે પરદ્રવ્ય ઉપરથી દષ્ટિ ખસેડી લે ને જ્યાં પોતાના ગુણો છે એવા ગુણધામ-સુખધામ પ્રભુ આત્મામાં દષ્ટિ લગાવી દે. આ એક જ સુખનો ઉપાય છે, અને એ જ કર્તવ્ય છે. સમજાય છે કાંઈ....?
અહાહા..! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે. એના કોઈ ગુણ પદ્રવ્યમાં એટલે દેહાદિ ને રાગાદિમાં નથી. શું કીધું? આ ઉપવાસ, બ્રહ્મચર્ય આદિ દેહની ક્રિયામાં ને વ્રતતપ આદિ રાગની ક્રિયામાં ભગવાન આત્માના કોઈ ગુણો નથી. તો પછી દેહાદિ ને વ્રતાદિ સાધન વડે આત્માના ગુણ કેમ પ્રગટે ? વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય કેમ પ્રગટે ? ભાઈ ! એ બધા વ્યવહારના ભાવ તો ભવના ભાવ છે બાપુ! એનાથી ભવ મળશે, ભવનો અંત નહિ આવે, એમાં નવીન શું છે? એ તો અનંતકાળથી તું કરતો આવ્યો છે. એ ક્રિયાના વિકલ્પો તારા ભવના અંતનો ઉપાય નથી ભાઈ ! સંતો કહે છે-આત્માના ગુણો પરદ્રવ્યમાં છે જ નહિ; અર્થાત્ આત્માના ગુણો આત્મામાં જ છે. માટે આત્મામાં લક્ષ કર, તેથી તને આત્માના ગુણોની-દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થશે.
અહીં તો એક કોર આત્મા ને એક કોર આખું જગત-એમ બે ભાગ પાડી દીધા છે. કહે છે–આત્માના ગુણો પરદ્રવ્યમાં નથી. માટે પરદ્રવ્યથી હુઠી જા ને સ્વદ્રવ્યમાં દષ્ટિ કર. સ્વદ્રવ્યના લક્ષે પરિણમતાં તને નિર્મળ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થશે. ભાઈ ! તારી દષ્ટિનો વિષય એક તું જ છો, દેય નહિ, રાગાદિય નહિ ને એક સમયની વિકારી-નિર્વિકારી પર્યાય પણ નહિ. માટે દષ્ટિ સ્વસ્વરૂપમાં લગાવી દે. બસ. આ એક જ કરવા જેવું છે. સમજાણું કાંઈ...? ભાઈ ! અંતર્દષ્ટિ વિના બહારથી વ્રતાદિ ધારણ કરે પણ એ માર્ગ નથી, એ તો સંસાર જ સંસાર છે. આવી વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે. હવે કહે છે
પ્રશ્ન- જો આમ છે તો સમ્યગ્દષ્ટિને રાગ કયા કારણે થાય છે? ઉત્તર:- કોઈ પણ કારણે થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com