________________
[૭૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૧-૨પર ]
જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે.' અહા ! આમાં શૈલી શું છે તે બરાબર જાણવી જોઈએ. “પોતાનું આયુકર્મ' એટલે શું? શું આયુકર્મ જીવનું છે? આયુકર્મ તો જડનું છે. ભાઈ ! એ તો સંયોગથીનિમિત્તથી કથન છે. વળી “ખરેખર આયુકર્મના ઉદયથી જ'—એમ શબ્દો છે, એટલે બીજા કોઈ એમાંથી એમ કાઢે કે કર્મથી જ થાય તો એમ નથી. ભાઈ ! આ તો જીવિતમાં આયુકર્મનો ઉદય જ નિયમરૂપ નિમિત્ત હોય છે (બીજા પ્રકારના નિમિત્ત હોવાનો નિયમ નથી) એમ જાણી “આયુકર્મના ઉદયથી જ' એમ કહ્યું છે; બાકી દેહમાં આત્મા પોતાની યોગ્યતાથી જ રહે છે, ત્યાં આયુકર્મ માત્ર નિમિત્ત છે બસ.
અહા ! હું બીજા જીવોનું જીવતર કરી શકું છું, તેમને પાળું-પોપું છું, તેમને નિભાવું છું, સ્ત્રી-પુત્ર-પરિવાર આદિ બધાનો જીવનદાતા છું ઈત્યાદિ માન્યતા અજ્ઞાન છે. આ સિદ્ધ કરવા “જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે'-એમ કહ્યું છે.
વળી કહે છે-“પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું અશક્ય છે.” શું કહે છે? પોતાનું આયુષ્યકર્મ ન હોય અને બીજો જીવતર કરાવી દે એમ કદીય બનવું શક્ય નથી. એ તો પોતાનું આયુકર્મનો ઉદય હોય ત્યાંસુધી જ જીવે. (દેહમાં રહે). અહીં આયુકર્મ તો જડનું છે. એને પોતાનું જીવનું કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે.
હવે કહે છે-“વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. ( મેળવાય છે).'
લ્યો, આવે છે ને ઇતિહાસમાં કે–બાદશાહ બાબરે એનું આયુષ્ય એના પુત્ર હુમાયુને આપ્યું એટલે હુમાયુ મરતો હતો તે બચી ગયો ને બાબર મરી ગયો. ભાઈ ! એ તો બધી નિરાધાર લોકવાયકા, બાકી આયુષ્ય કોણ આપે? (ભગવાનેય ન આપી શકે ). આવું ને આવું બધું લોકમાં સૂતે-તૂત હાલે છે અહીં કહે છે-પોતાનું આયુકર્મ બીજાને દઈ શકાતું નથી અને બીજાનું આયુકર્મ પોતાને બીજો દઈ શકતો નથી. અહીં? પોતાનું આયુકર્મ પરસ્પર દઈ શકાતું નથી, કેમકે તે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે.
જોયું ? વળી પાછું નિમિત્તથી કથન આવ્યું. જડ આયુકર્મ જે બંધાય છે એ તો જડ પુદ્ગલના પરિણામ છે અને તેમાં તે કાળે જીવના પરિણામ હતા તે નિમિત્ત છે. આ ભવ પહેલાં પૂર્વે જે આયુષ્ય બાંધીને આવ્યો તે એના (-પોતાના) પરિણામથી જ બંધાણું છે. એટલે શું? કે તે કાળે જીવના (પોતાના) પરિણામ એવા હતા કે જે પ્રકારે આયુકર્મની પર્યાય સ્વયં એના કારણે બંધાઈ એમાં એ પ્રકારે જ જીવના પરિણામનું નિમિત્ત હતું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com