SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩/૬-૩૦૭ ] [ પર૩ ભરપૂર છે, તેને શુદ્ધભાવ કેમ હોય ? ન જ હોય. પણ અહીં તો વિશેષ આ વાત છે કે શુભભાવમાં પણ જે હોંશથી રોકાયેલો છે તે પણ પ્રમાદયુક્ત આળસુ છે. પંચમહાવ્રતના રાગને અને ૨૮ મૂલગુણના રાગને પ્રમાદ કહ્યો છે. છઠ્ઠ ગુણસ્થાને તે પ્રમાદી કહેવાય છે. અંદર સ્વરૂપમાં લીન-સ્થિર થાય તે અપ્રમાદ છે, શુદ્ધભાવ છે. પ્રમાદયુક્ત આળસના ભાવ તે શુદ્ધભાવ નથી. આવી આકરી વાત છે. અત: સ્વરનિર્મરે સ્વભાવે નિયમિત: ભવન મુનિ:' માટે નિજરસથી ભરેલા સ્વભાવમાં નિશ્વળ થતો મુનિ ‘પરમશુદ્ધતા વૃનતિ' પરમ શુદ્ધતાને પામે છે ‘વા' અથવા ‘વિરાત્ મુચ્યતે' શીઘ્ર-અલ્પકાળમાં (કર્મબંધથી) છૂટે છે. માટે નિજરસથી ભરેલા સ્વભાવમાં....' , જોયું? આત્માનો સ્વભાવ નિજરસથી એટલે શુદ્ધ ચૈતન્યરસથી શાંતરસથી-આનંદરસથી ભરેલો છે. અહાહા.....! શુભાશુભભાવના રાગરસથી રહિત ભગવાન આત્મા એક ચૈતન્યરસથી–વીતરાગરસથી ભરેલો છે. અહા ! આવા સ્વરસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચલ થતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે; અથવા તે શીધ્ર-અલ્પકાળમાં કર્મથી મુક્ત થાય છે. પ્રશ્ન:- જો શીધ્ર મુક્ત થાય છે તો ક્રમબદ્ધ ક્યાં ગયું? સમાધાન- શીધ્ર મુક્ત થાય છે ત્યાં બધું એ ક્રમબદ્ધ જ છે. કાંઈ વચ્ચે કાળ તોડી આડુંઅવળું થઈ જાય છે એમ અર્થ નથી. ભાઈ ! અપ્રમાદમાં રહેનાર મુનિવરની અંદરદશા જ એવી હોય છે કે તે ક્રમબદ્ધપણે શીધ્ર જ મુક્તિ પામે. શીધ્રનો એવો અર્થ નથી ક્રમ તૂટીને પર્યાય આગળ-પાછળ આડી-અવળી થઈ જાય. સમજાણું કાંઈ..? અપ્રમાદીને શીઘ્ર-અલ્પકાળે મુક્તિ થવાનો ક્રમ જ છે. ત્યારે કોઈ વળી કહે છે-કમબદ્ધ માનવાથી આળસુ નિરુદ્યમી થઈ જવાશે. સમાધાન- ભાઈ એમ નથી; જે ક્રમબદ્ધ યથાર્થ માને તે સ્વતંત્ર પુરુષાર્થી થાય છે. કેવી રીતે? જેને અંતરમાં યથાર્થ નિર્ણય થાય કે-જે સમયે જે પર્યાય જે રીતે થવાની હોય તે સમયે તે પર્યાય તે રીતે થાય જ, તેમાં ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરફાર કરી શકે નહિ તે પરદ્રવ્યના કર્તાપણાના ભાવથી છૂટી સ્વદ્રવ્યના આશ્રમમાં જાય છે, અને સ્વદ્રવ્યના આશ્રયમાં જવું એનું નામ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે? અહા ! શુદ્ધ ચૈતન્યસ્વભાવી સ્વદ્રવ્યના આશ્રયે પરિણમવું એ જ ઉધમ અને એ જ પુરુષાર્થ છે. ભાઈ ! ક્રમબદ્ધના નિર્ણયમાં જ પુરુષાર્થ રહેલો છે; કેમકે એમાં નિજ જ્ઞાતા-દષ્ટાસ્વભાવનું અવલંબન છે. જે જે દેખી વીતરાગને, તે તે હોંશી વીરા રે; અનહોની કબહું નહિ હોસી, કાહે હોત અધીરા રે.” ક્રમબદ્ધનો નિર્ણય કરનાર કેવો ધીર ને વીર હોય છે એની વાત આ છંદમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008289
Book TitlePravachana Ratnakar 08
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages551
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy