________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૪-૩૦૫ ]
[ ૪૮૭ અહા ! આવી વાત! તો કેટલા કહે છે કે આ વાતો તો બધી ચોથા આરાના જીવો માટે છે. પણ ભાઈ ! એમ નથી. અહા ! સમયસાર શાસ્ત્ર તો પંચમ આરાના મુનિએ પંચમ આરાના જીવોના કલ્યાણ અર્થે બનાવ્યું છે. કોઈ વળી કહે છે કે-આ શાસ્ત્ર તો છઠ્ઠી ગુણસ્થાનવર્ધી મુનિને માટે છે; તો એ વાત પણ યથાર્થ નથી. કેમકે જે અજ્ઞાની અપ્રતિબદ્ધ છે તેને સમજાવવા માટે આ શાસ્ત્ર કુંદકુંદાચાર્યદવે રચ્યું છે. (જાઓ ગાથા ૨૩, ૨૪, ૨૫).
અહા! ચોથે ગુણસ્થાનકે વર્તતો સમ્યગ્દષ્ટિ જીવ અંતરંગમાં એવો દઢ નિશ્ચય કરે છે કે-આ ઉપયોગલક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું. લૌકિકમાં જેને ધર્મ માને છે તે શુભરાગ મારું લક્ષણ નહિ. લૌકિકમાં ગમે તે માનો, રાગાદિ ભાવો કદીય મારા છે જ નહિ; હું તો પરમ પવિત્ર શુદ્ધ એક ઉપયોગલક્ષણ જીવ છું. અહા ! આવાં આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન સહિત ધર્મી પુરુષ સદાય (આત્માની) આરાધનાપૂર્વક વર્તે છે. અહા ! દષ્ટિના વિષયમાં જેને પોતાનો પૂરણ પરમેશ્વર પ્રભુ આત્મા વર્તે છે તે જીવ આરાધક છે. તેને જ આત્માનું સેવન કરનાર સાધક કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગમય જ હું છું—એમ જેને અંતરંગમાં દઢ શ્રદ્ધાન થયું છે તે સદાય આરાધક છે. ભાઈ ! કોઈવાર દ્રવ્યનો આશ્રય અને કોઈવાર રાગનો આશ્રય હોય એવું ધર્મીનું સ્વરૂપ નથી. ધર્મીને તો નિરંતર એક શુદ્ધ આત્મદ્રવ્યનો જ આશ્રય હોય છે.
પ્રશ્ન:- તો શું વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ ધર્મીને હોતાં જ નથી ?
ઉત્તર- કોણ કહે છે કે હોતાં નથી? ધર્મીને એ બધા ભાવો હોય છે, પણ એ શુભરાગ છે, અપરાધ છે; ધર્મ નહિ. ધર્મીને જે રાગ હોય છે તેને તે જાણે જ છે; તેને મન તે જાણવાલાયક છે; પણ આદરવાલાયક છે એમ નહિ.
ભાઈ ! આત્માની એક સમયની અવસ્થામાં હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના આદિ જે અશુભરાગ થાય છે તે પાપ છે; અને દયા, દાન, વ્રતાદિનો જે શુભરાગ થાય છે તે પણ નિશ્ચયથી પાપ જ છે. બહુ આકરી વાત ભાઈ ! પણ વાત એમ જ છે. (યથાર્થ જ છે) યોગસારમાં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે
“પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ
પુણ્ય તત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.” ભાઈ ! એક ઉપયોગમય શુદ્ધ આત્મા જ હું છું એવું યથાર્થ શ્રદ્ધાન થયા વિના જ્ઞાન ને આચરણ કયાંથી આવે? એ સિવાયનું બધું ( ક્રિયાકાંડ) તો થોથાં છે. ' અરે! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે હોં. અરેરે! રાગની દૃષ્ટિમાં વર્તવાવાળો જીવ ક્યાં જશે? ભાઈ ! આ જડ દેહ તો બળી ને ખાખ થઈ જશે. એની તો ખાખ જ થાય ને? પણ જીવ ક્યાં જશે? અહા ! જેણે રાગ ને પુણ્ય ભાવ ને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com