________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૯૭ ]
[ ૪૩૭ વાર્તા–વસ્તુની સ્થિતિ જેમ છે તેમ ભગવાનની વાણીમાં આવી છે; અને તે આ સમયસારમાં આચાર્યદેવે કહી છે.
એમાં અહીં શું કહે છે? કે- “ગ્રહણ કરું છું” એટલે “ચતું છું, કારણ કે ચેતવું તે જ આત્માની એક ક્રિયા છે. માટે હું ચતું જ છું....
અહા ! જાણવું... જાણવું. જાણવું-બસ જાણવું એ જ એક આત્માની ક્રિયા છે; રાગ-વ્યવહાર પણ બીજી (આત્માની) ક્રિયા છે એમ નથી. માટે કહે છે-હું ચતું જ , હું સ્વરૂપને જાણે જ છું ! આ તો સામાન્ય કહ્યું હવે કારકોના છ ભેદ પાડીને સમજાવે છે
“ચેતનારો જ, ચેતનાર વડે જ, ચેતનાર માટે જ, ચેતનારમાંથી જ, ચેતનારમાં જ, ચેતનારને જ ચતું છું.'
ચેતનારો તે કર્તા ને “ચતું છું' તે કર્મ. હું ચેતનારો મને જ ચતું છું. અહાહા..! હું જાણનારને જ જાણું છું રાગને જાણું છું એમ નહિ. રાગ સંબંધી જે જ્ઞાન છે તે સ્વતંત્ર મારું છે અને હું મને જ જાણું છું, રાગને નહિ. સૂક્ષ્મ વાત ભાઈ ! વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એમ આવે છે ને? (ગાથા ૧૨ માં) એમ વ્યવહાર છે. અહીં તો કહે છેહું મારા જ્ઞાનને જ જાણું છું. ભાઈ ! હું કર્તા, હું કર્મ, હું કરણ ઇત્યાદિ આ છે કારકોના ભેદ તો સમજવા માટે સભૂતવ્યવહારથી કહ્યા છે. નિશ્ચયથી તો એ ભેદ કાંઈ નથી. એ જ કહે છે કે
અથવા દ્રવ્યદષ્ટિએ તો-છ કારકોના ભેદ પણ મારામાં નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છે. આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો.'
જોયું? વસ્તુ જે સામાન્ય.... સામાન્ય.... સામાન્ય ચિત્માત્ર એકરૂપ ધ્રુવ દ્રવ્ય-એની દષ્ટિએ જોઈએ તો છે કારકોના ભેદ વસ્તુમાં નથી. હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું. ટીકામાં સર્વવિશુદ્ધ ચિત્માત્ર ભાવ છું એમ લીધું હતું. એ તો એક જ વાત છે. અહા! અંતર્મુખ જ્ઞાનની દશા એમ જાણે અનુભવે છે કે હું શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ છું; ખંડખંડ ભેદ તે હું નહિ. જુઓ, આ વિકલ્પની વાત નથી, આ તો સ્વાનુભવ પ્રત્યક્ષની વાત છે. અહીં કહે છે-આ પ્રમાણે પ્રજ્ઞા વડે આત્માને અનુભવવો અર્થાત્ પોતાને ચેતનાર તરીકે અનુભવવો. ભાઈ ! આ કાંઈ વાદવિવાદથી પતે એમ નથી, આને માટે અંદરમાં ખૂબ હોંશ ને ધીરજ જોઈએ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com