________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૯૩
किमयमेव मोक्षहेतुरिति चेत्
बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च। बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि।। २९३।।
बन्धानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च।
बन्धेषु यो विरज्यते स कर्मविमोक्षणं करोति।।२९३।। “માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?' એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે:
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાય, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩. ગાથાર્થઃ- [વશ્વાના સ્વભાવ ૨] બંધોના સ્વભાવને [લાત્મ: સ્વભાવે વ] અને આત્માના સ્વભાવને [ વિજ્ઞાય] જાણીને [વધેy] બંધો પ્રત્યે [: ] જે [વિરગ્યતે] વિરક્ત થાય છે, [ :] તે [ વર્મવિમોક્ષ કરોતિ] કર્મોથી મુકાય છે.
ટીકા- જે, નિર્વિકારચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને (આત્માના સ્વભાવને) અને તેને (અર્થાત્ આત્માને) વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. આથી (–આ કથનથી), આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જાદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે ).
સમયસાર ગાથા : ૨૯૩ મથાળું માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે? જુઓ આ શિષ્યનો પ્રશ્ન! એમ કે રાગ અને આત્માને જુદા પાડવા એ એક જ મોક્ષનું કારણ કેમ છે? એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે:
* ગાથા ૨૯૩: ટીકા ઉપરનું પ્રવચન * જે, નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને અને તેને (અર્થાત્ આત્માને )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com