________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૦ ]
[ ૩૧૫ છે ને તે મને કરવા યોગ્ય છે એમ માનીને તે રાગનો કર્તા થાય છે.
અહા ! જે કોઈ સિદ્ધ થયા છે તેમને સિદ્ધપદની નિર્મળ પર્યાય કયાંથી આવી? શું તે અદ્ધરથી આવી છે? ના; અંદર શક્તિ પડી છે તેમાં પૂરણ એકાગ્ર થઈ પરિણમવાથી આવી છે. પણ અજ્ઞાની પોતાના વસ્તુસ્વભાવને જાણતો નથી, તેમાં તે અંતર-એકાગ્ર થતો નથી તેથી તે પર-આશ્રયે પરિણમતો થકો રાગાદિકનો કર્તા થાય છે. લ્યો, આવી વાત છે. સમજાણું કાંઈ..?
( પ્રવચન નં. ૩૩૯ (શેષ) અને ૩૪૦ * દિનાંક ૧૨-૫-૭૭ અને ૧૩-૫-૭૭)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com