________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
જોયું ? અભવ્ય જીવ ભગવાન જિનેશ્વરનાં કહેલાં આચારાંગ આદિ શાસ્ત્ર ભણે છે હો; આ વેદાંતાદિ શાસ્ત્રોની વાત નથી, એ તો કુશાસ્ત્ર છે; આ તો વીતરાગે કહેલાં સત્શાસ્ત્ર ભણવા છતાં શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેનો તેને અભાવ છે. શાસ્ત્ર ભણવાનો ગુણ તો આત્મજ્ઞાન ને આત્મોપલબ્ધિ છે, પણ તેનો તેને અભાવ છે તેથી તે જ્ઞાની નથી.
અહા ! અગિયાર અંગરૂપ શ્રુતને તે ભણે તો તેમાં આત્મા આવો છે, આવો છે-એ શું નથી આવતું? આવે છે; એણે ધા૨ણામાં પણ લીધું છે. પરંતુ સ્વાધ્યાય, વિનય, ભક્તિ ઇત્યાદિ બાહ્ય આચરણની ઉપર જઈને (તેની પાર જઈને) સ્વના આશ્રય ભણી તે ઉછળતો નથી. અહા ! શાસ્ત્ર ભણવાનું ફળ તો શુદ્ધાત્માનુભૂતિ આવવું જોઈએ, અને શુદ્ધાત્માનુભૂતિ સ્વના આશ્રયે જ થાય છે; પણ તે ૫૨-આશ્રયથી હઠી સ્વના આશ્રયમાં જતો જ નથી, અને સ્વના આશ્રયમાં ગયા વિના શાસ્ત્ર-ભણતર શું કરે? કાંઈ નહિ; ભગવાન શાયકસ્વરૂપ આત્માના આશ્રયમાં ગયા સિવાય શાસ્ત્રભણતર કાંઈ કામનું નથી. આવી વાત છે!
અહાહા...! શાસ્ત્ર ભણવાનો ગુણ શું? એ અગિયાર અંગરૂપ શ્રુતમાં-શાસ્ત્રમાં શું કહ્યું છે? કે- ‘ જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. ’
અહાહા...! ભિન્નવસ્તુભૂત એટલે શરીરાદિ પરદ્રવ્યથી ભિન્ન, દેવ-ગુરુ-શાસ્ત્રથી ભિન્ન, દ્રવ્યકર્મ-ભાવકર્મથી ભિન્ન, અને નોકર્મથી ભિન્ન એવો એકલા જ્ઞાનપ્રકાશનો પૂંજ શુદ્ધજ્ઞાનમય પ્રભુ આત્મા છે. આવા સ્વસ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન થવાં તે શાસ્ત્ર-ભણતરનો ગુણ છે. આ વખતના આત્મધર્મ (અંક ૪૦૨) માં આવ્યું ને? કે–“ધ્રુવ ચિદ્ધામસ્વરૂપ ધ્યેયના ધ્યાનની ધૂણી ધૈર્યયુક્ત ધગશથી ધખાવવારૂપ ધર્મના ધારક ધર્માત્મા ધન્ય છે.” અહા ! લ્યો, આવો ધર્મ અને આવા ધર્મના ધરનાર! અહા! આવો ધર્મ અંતરમાં ધ્રુવધામને ધ્યેય બનાવીને પ્રગટ કરવો તે શાસ્ત્ર-ભણતરનો ગુણ છે.
ભાઈ! એ તો દાખલો અભવ્યનો આપ્યો છે, પણ અહીં સામાન્યપણે સિદ્ધ આ કરવું છે કે ભગવાન જિનવરે કહેલાં બાહ્ય આચારરૂપ વ્રત, તપ આદિ કાંઈ ધર્મ નથી, તેમ ધર્મનું કારણ પણ નથી. એ તો પહેલાં (ગાથા ૨૭૩ માં ) આવી ગયું કે અભવ્ય જીવે શીલ, તપ પરિપૂર્ણ રીતે પાળ્યાં, સમિતિ-ગુપ્તિની ક્રિયાઓ સાવધાનપણે કરી અને મહાવ્રતાદિ અનંતવાર પાળ્યાં. આવા ભગવાને કહેલા વ્યવહારચારિત્રના જે ભાવ છે તે અનંતવાર પ્રગટ કર્યા, છતાં તે અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અને નિશ્ચારિત્ર જ છે. ત્યારે પ્રશ્ન થયો કે
અહા ! તેને અજ્ઞાની કેમ કહો છો ? એને જિનવરે કહેલાં ૧૧ અંગનું જ્ઞાન તો હોય છે; અભવ્ય અને ભવ્યે પણ અનંતવાર એ શાસ્ત્રોનું જ્ઞાન કર્યું છે, છતાં એને અજ્ઞાની કેમ કહો છો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com