________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨OO ]
[ ૮૧ લીન થવું. ભાઈ ! આને જ જૈન પરમેશ્વર અરિહંત પરમાત્માએ ધર્મ કહ્યો છે અને શ્રી કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોએ ભગવાનના આડતિયા તરીકે તે જગત સામે જાહેર કર્યો છે. જન્મ-મરણથી છૂટવાનો આવો આ અલૌકિક માર્ગ છે.
જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિના ભાવ છે તે બધો શુભરાગ છે. શુભરાગ ગમે તે હો, એનાથી પુણ્ય છે, ધર્મ નહિ; ધર્મ તો એક માત્ર વીતરાગભાવ છે અને તે જ્ઞાયકસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. એ જ કહે છે કે
અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે.'
બાપુ! વીતરાગ માર્ગ-જન્મ-મરણના દુઃખથી રહિત થવાનો માર્ગ-કોઈ અદ્ભુત અલૌકિક છે. લોકો તો બહારથી–આ જાત્રા કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, ઉપવાસ કરીએ એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને! એ તો બધો રાગ આગ્નવભાવ-દુઃખદાયક ભાવ છે. પુષ્ય ને પાપ આસ્રવતત્ત્વ છે, જ્યારે ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. બન્ને ભિન્ન છે એમ તત્ત્વને જ્ઞાની અંતર્દષ્ટિ વડે જાણે છે. આ પ્રમાણે તત્ત્વને જાણતો જ્ઞાની જ્ઞાયકસ્વભાવી નિજ આત્માને ગ્રહતો-આશ્રય કરતો થકો રાગને છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાની સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ કરે છે. હવે આવો માર્ગ લોકોને આકરો લાગે છે, પણ શું થાય? આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ'-આ બેમાં આખો સિદ્ધાંત છે. જ્ઞાની સ્વને-જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ શાકભાવને-સ્વ જાણે છે, ઉપાદેય જાણે છે અને અજીવને ભિન્ન અજીવ (ઉપેક્ષાયોગ્ય) જાણે છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધને બુરાં-અહિતકારી જાણે છે, હુંય જાણે છે અને સંવર, નિર્જરા અને મોક્ષને ભલાંસુખદાયક પ્રગટ કરવા યોગ્ય જાણે છે. અહા ! અજ્ઞાની બિચારો બહારમાં ને બહારમાં પૈસા રળવા-કમાવામાં ગુંચાઈ ગયો છે, આવું તત્ત્વ જાણવાની એને નવરાશ પણ કયાં છે ?
પણ પૈસા હોય તો મજા આવે ને?
ધૂળેય મજા નથી એમાં, સાંભળને. પૈસા ને પૈસાનો પ્રેમ એ મોટો પરિગ્રહ છે. પૈસાથી મજા છે એમ માનવું એ મિથ્યાત્વનું મહાપાપ છે.
અહીં એમ કહેવું છે કે પુણ્ય, પાપ, આસ્રવ અને બંધના ભાવ ખરેખર અજીવ તત્ત્વ છે, જ્યારે અંદર એક ચિદાનંદમય જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્મા જીવતત્ત્વ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com