SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates . [૭] કરવામાં આવે છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. આભા૨: ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહ્યોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી, ઉત્સાથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શકયું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈએ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યમાં અતિ સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહ દહેગામવાળા સંકલનલેખન તથા વ્યવસ્થા આદિ પ્રકારે ઉત્સાહપૂર્વક તન, મન અને ધનથી મહત્વપૂર્ણ ફાળો આ ગ્રંથમાળાના પ્રકાશનમાં એકમેક થઈને આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. વિશેષમાં અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે પૂજ્ય ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશ:) લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા જેથી આ કાર્ય શરૂ કરવામાં જરાપણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આ સ્થળે આભાર માનીએ છીએ. આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ તથા અન્ય મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહ્યોગ આપેલ છે, જેમની નામાવલિ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે બદલ સમસ્ત દાતા ભાઈ-બહેનોનો આભાર માનવામાં આવે છે. સાતમાં ભાગમાં શ્રીયુત જયંતિભાઈ ચત્રભુજભાઈ કામદાર (જેતપુરવાળા) તથા તેમનાં સમસ્ત પરિવાર તરફથી કિંમત ઘટાડવા માટે ઘણો સુંદર આર્થિક સહયોગ મળેલ છે. તે બદલ અમો તેમના ખૂબ જ આભારી છીએ. તદુપરાંત પ્રસ્તુત પુસ્તક ગુજરાતી આત્મધર્મનાં ગ્રાહકોને તેઓશ્રી તરફથી ભેટ આપવામાં આવનાર છે. આ પ્રકાશનનું મુદ્રણકાર્ય બહુ સુંદર, ત્વરિત અને કાળજીભર્યું કરી આપવા બદલ સુમતિ પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોનો આભાર માનીએ છીએ. આવકાર્ય આ પ્રકાશન અમારો સાતમો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy