________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આપે આવું નવું કયાંથી કાઢયું? અમે તો કર્મથી જ વિકાર થાય છે એમ સાંભળ્યું છે. તો કર્મથી વિકાર ન થાય એવું નવું આપે કયાંથી કાઢયું?
ભાઈ ! વિકાર પોતાનો સ્વભાવ નથી, છતાં તેને પર્યાયમાં જીવ સ્વતંત્રપણે કરે છે, તેમાં એકેય દોકડો પરનો નથી. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૬૨).
વિકાર થવામાં ૫૦ દોકડા ઉપાદાનના ને ૫૦ દોકડા નિમિત્તના રાખો તો કેમ?
ભાઈ ! એમ નથી. વિકાર થવામાં એકેય દોકડો નિમિત્તનો પરનો નથી. ૧00% પોતાના પોતાનામાં છે, ને નિમિત્તના સો યે સો ટકા નિમિત્તમાં છે. અરે ભગવાન! વિકાર તેના સ્વકાળે પોતાને કારણે પોતામાં (પર્યાયમાં) થયો છે. જુઓ, તે જીવનો સ્વભાવ નથી-એમ કહીને જો કોઈ વિકારને પર્યાયમાં પરથી થયેલો માનતો હોય ને સ્વચ્છંદ પ્રવર્તતો હોય તો તેને વિકાર જીવનો છે એમ સંતો કહે છે; અને જે કોઈ જીવનો જ વિકાર છે એમ વિકારને સ્વભાવ માની તેને છોડતો જ નથી તેને સંતો કહે છે–ભાઈ ! વિકાર તારો સ્વભાવ નથી, એ તો પરના નિમિત્તે થયેલો પરનો છે, કર્મજન્ય છે.
અહીં કહે છે–રાગ મારો સ્વભાવ નથી. ભાષા તો જુઓ! કહે છે-“હું તો આપ્રત્યક્ષ અનુભવગોચર-ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.' અહાહા...! આ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે એવો હું તો એક શાશ્વત ધ્રુવ ચૈતન્યબિંબ છું એમ જ્ઞાની જાણે છે. બાપુ! સમજવા જેવી તો આ વાત છે. ભાઈ ! આ વસ્તુસ્થિતિ છે. અરે! આવાં ટાણાં મળ્યાં ને તને નવરાશ નહિ! આ ભવ પછી તારે કયાં જવું છે, બાપા? અનંત-અનંતકાળ હજુ રહેવું તો છે. અહીં (મનુષ્યમાં) કેટલો કાળ રહેવાનો? પાંચ-પચાસ વર્ષ પણ આત્મા તો અનંતકાળ રહેવાનો છે. જો દષ્ટિ વિપરીત રહી તો અનંતકાળ વિપરીત દિષ્ટિમાં ચાર ગતિમાં-રહેશે, અનંતકાળ અનંત દુઃખમાં રહેશે.
અહાહા....! રાગાદિ મારા સ્વભાવો નથી, હું તો એક ચિન્માત્ર જ્ઞાયકભાવમાત્ર વસ્તુ છું એમ વિશેષપણે સમ્યગ્દષ્ટિ અને અને પરને જાણે છે.
હવે કહે છે-“આ પ્રમાણે “રાગ” પદ બદલીને તેની જગ્યાએ “” લેવો.” જેમ ‘પો|જોબ્સ રાપો' મૂળ પાઠમાં છે તેમ ‘પો | — ટ્રેષો'–એમ લેવું. ભાઈ ! આ તો સત્યનાં ઉદ્ઘાટન છે. ધર્મીની દષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર છે તેથી તે એમ કહે છે કે દ્વેષ મારો સ્વભાવ નથી, તે કર્મનું કાર્ય છે, અર્થાત્ પુદ્ગલકર્મનો દ્વેષ છે. બહુ ઝીણી વાત બાપુ ! દ્વષ છે તો નિરપેક્ષ, કેમકે કર્મના નિમિત્તપણાની અપેક્ષા વિના તે થાય છે; તોપણ અહીં તેને સાપેક્ષ કહીને તે સ્વભાવ નથી એવી દષ્ટિ કરાવી છે. અહાહા...! દષ્ટિવંત પુરુષો-ધર્મી જીવો દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને તેની નિર્જરા કરી નાખે છે.
જીવનો સ્વભાવ તો ત્રિકાળ આનંદ અને વીતરાગતા છે. તેથી તેનો જે પાક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com