________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૯ सम्यग्दृष्टिविशेषेण तु स्वपरावेवं जानातिपोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को।। १९९।।
पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः। न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः।। १९९।।
હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છે:
પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. ગાથાર્થ- [૨T:] રાગ [પુનિ] પુદ્ગલકર્મ છે, [ તસ્ય] તેનો [ વિપાવો: ] વિપાકરૂપ ઉદય [gS: મવતિ] આ છે, [gs: ] આ [મમ ભાવ:] મારો ભાવ [ન તુ] નથી; [ગદમ્] હું તો [ar] નિશ્ચયથી [ :] એક [ જ્ઞાયમાવ:] ગાયકભાવ છે.
ટીકાઃ-ખરેખર રાગ નામનું પુદગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે).
વળી આ જ પ્રમાણે “રાગ' પદ બદલીને તેની જગ્યાએ દુષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
સમયસાર ગાથા ૧૯૯: મથાળું હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે એમ કહે છે:
* ગાથા ૧૯૯: ટીકા ઉપરનું પ્રવચન * ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી...'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com