SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૫૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહા! જ્ઞાની જ્ઞાનરસનું પાન કરીને નાચે છે. જ્યારે! અજ્ઞાનીએ આત્માના આનંદના રસનું પીવું તે સમકિત અને તે ધર્મ છે એવું કદી સાંભળ્યું નથી. એટલે બિચારો મંડી પડે વ્રતને તપ કરવા અને માને કે ધર્મ થઈ ગયો. પણ અહીં કહે છે-આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ છે અને જ્ઞાની તેના શ્રદ્ધાનરૂપે પરિણમ્યો છે. એટલે શું થયું? કે એના શ્રદ્ધાનની સાથે આનંદ આવ્યો છે અને તે, મધ પીને જેમ કોઇ નાચે તેમ, આનંદ પીને નાચે છે અર્થાત્ નિજાનંદને ભોગવે છે. આનું નામ ધર્મ છે. અજ્ઞાનીનાં વ્રત ને તપ તો બધાં થોથાં છે. પ્રશ્ન- “સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે, ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં બંધ ન માનવામાં આવે તો તે મિથ્યાદષ્ટિને મિથ્યાત્વઅનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન મનાય? જુઓ, આ પ્રશ્ન! આમાં ત્રણ વાત મૂકી છે. ૧. જ્ઞાનીને ચોથે, પાંચમે આદિ ગુણસ્થાને સિદ્ધાંતમાં બંધ કહેવામાં આવ્યો છે, છતાં તેને બંધ નથી તેમ આપ કહો છો. સમકિતી અતીન્દ્રિય આનંદમાં મસ્ત છે એ ખરું, પણ તેને આ બંધ છે ને? અને ઘાત પણ થાય છે ને? એ જ કહે છે ૨. તેને ઘાતી કર્મને લઇને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. ૩. વળી ચારિત્રમોહના ઉદયને લઇને તેને નવીન બંધ પણ થાય છે. જ્ઞાનીને ચારિત્રમોહનો રાગ છે કે નહિ? છે; તો નવીન બંધ પણ થાય છે. માટે, જો ચારિત્રમોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન માનવું? તેનું સમાધાન - “બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે.” લ્યો, આ મૂળ વાત કીધી. મિથ્યાત્વ કહેતાં વિપરીત માન્યતા અને અનંતાનુબંધીનું પરિણમન એ જ બંધ થવામાં મુખ્ય કારણ છે. મિથ્યાત્વની સાથે રહેલો કષાય તે અનંતાનુબંધી કષાય છે. અને તેને જ બંધનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ પણ નથી અને અનંતાનુબંધી કષાય પણ નથી. સમ્યગ્દષ્ટિને તો તે બન્નેનો અભાવ છે. હવે કહે છે ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy