SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩૬ ] [ ૫૪૭ ભાઈ ! સત્યને સંગઠન સાથે રહે તો ઠીક જ છે અને તે સત્યનો સ્વીકાર કરવાથી જ બને તેમ છે . ( ભાઈ ! જે વિઘટન છે તે સત્યના અસ્વીકારને લીધે છે ). જુઓ, કોઇ લોકો ચાહે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય એમ આપ કહો તો મેળ થઇ જાય. પણ બાપુ! જો વ્યવહારથી નિશ્ચય થાય તો વ્યવહારને નિશ્ચય બે રહે છે જ છે ક્યાં? જો વ્યવહારથી નિશ્ચય થાય તો બન્ને એક થઇ જાય. રાગને વીતરાગતા બન્ને એક થઇ જાય. પણ વીતરાગ મારગનું એ સ્વરૂપ જ નથી. બાપુ! વીતરાગનો મારગ તો શુદ્ધ વીતરાગતામય જ છે. એમાં કોઇ તડજોડનો કે ઢીલું-પોચું કરવાનો અવકાશ જ નથી. અહીં કહે છે–જ્ઞાનીને દેવમૂઢતા, ગુરુમૂઢતા કે શાસ્ત્રમૂઢતા ન હોય; તેના સ્વરૂપને યથાર્થ જાણીને પ્રવર્તવું તે અદૃષ્ટિ છે. સમજાણું કાંઇ....? ૫. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે. ' જુઓ, ધર્માત્માને કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ ગણીને ગોપવવો તે ઉપગ્રહન છે. પરંતુ આ તો ધર્માત્માની વાત છે; જેની દષ્ટિ જ મિથ્યા છે અને જેને દોષનો કોઇ પાર જ નથી તેની અહીં વાત નથી. અહા! ધર્મી જીવને કર્મના ઉદયવશ કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પરંપરાને વધારવી તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે આવી વાત છે. ૬. ‘વ્યવહા૨મોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ છે.' નિશ્ચયમાં નિશ્ચયમોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિર કરવો એમ હતું અને આમાં વ્યવહા૨મોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ એમ કહ્યું છે. ૭. ‘વ્યવહા૨મોક્ષમાર્ગમાં પ્રવર્તના૨ ૫૨ વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે.’ નિશ્ચયમાં નિર્મળ રત્નત્રયરૂપ ધર્મમાં પ્રેમ હોવો એમ વાત હતી જ્યારે આમાં ધર્માત્મા પ્રત્યે અનુરાગ હોવાની વાત છે. વ્યવહાર છે ને? ધર્મીને ધર્માત્મા પ્રત્યે વિશેષ અનુરાગ હોય છે અને તેને વાત્સલ્ય કહે છે ૮. ‘વ્યવહાર મોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે' આ વ્યવહારે પ્રભાવના છે હોં; નિશ્ચય પ્રભાવના તો નિશ્ચયસ્વરૂપને સ્વાશ્રયે પ્રગટ કરવાથી થાય છે. હવે કહે છે. ‘આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી.' જુઓ નિશ્ચયનયની દૃષ્ટિમાં વ્યવહાર ગૌણ છે, પરંતુ પ્રમાણજ્ઞાનમાં બેય સાથે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy