________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ समयसारव्याख्यायामात्मख्यातौ
૫૩૨ ]
इति निर्जराप्ररूपकः षष्ठोऽङ्कः।।
श्रीमदमृतचन्द्रसूरिविरचितायां
સમ્યકવંત મહંત સદા સમભાવ ૨હૈ દુઃખ સંકટ આયે, કર્મ નવીન બંધૈ ન તયૈ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢે નિજ પાયે, યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.
આમ
શ્રી સમયસારની (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર ૫૨માગમની ) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક સમાપ્ત થયો.
*
*
સમયસાર ગાથા ૨૩૬ : મથાળુ
હવે પ્રભાવના ગુણની ગાથા કહે છેઃ
*
* ગાથા ૨૩૬ : ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન *
.
જુઓ, આમાં ‘ લેવા’ નામ ચૈતયિતા શબ્દ છે.
‘ જે ચેતિયતા ’–અહા ! સમ્યગ્દષ્ટિ ચેતિયતા છે. જાણગ-જાણગસ્વભાવી ભગવાન આત્માને જાણે દેખે તે સમ્યગ્દષ્ટિ ચૈતતિયતા છે.
અહા! કહે છે–‘જે ચેતિયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ‘મનોરથપથેપુ’ મનરૂપી રથ–પંથમાં ભ્રમણ કરે છે તે ‘નિનજ્ઞાનપ્રમાવી’ જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દષ્ટિ જાણવો.'
અહા ! સમ્યગ્દષ્ટિ વિધારૂપી રથમાં કહેતાં સમ્યજ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો છે, અને તે જ્ઞાનરૂપી રથને ચાલવાનો જે માર્ગ તેમાં ભ્રમણ કરે છે. અહા! ભગવાન આત્માનું-ત્રિકાળી શાશ્વત વિદ્યમાન પદાર્થનું-જ્ઞાન થવું તે યથાર્થ જ્ઞાન અર્થાત્ જિનજ્ઞાન છે. આત્મા પોતે જિનસ્વરૂપ છે ને? તો નિજસ્વરૂપ નિજ આત્માનું જ્ઞાન થવું તે જ્ઞાન છે, વિધા છે. અહા ! આ વકીલાત ને ડોક્ટરીનું જે લૌકિક જ્ઞાન તે જ્ઞાન નથી; એ તો અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે.
પણ તે જ્ઞાનથી પૈસા તો કમાય છે ને ?
ધૂળેય કમાતો નથી સાંભળને. શું જ્ઞાનથી પૈસા કમાય ? અરે ભાઈ ! પૈસા તો જડ ધૂળ-માટી છે. એને જ્ઞાન શું કમાય ? જ્ઞાન નામ આત્મા તો એને (પૈસાને ) અડેય નહિ. પૈસાનો સંયોગ તો પૈસાના કારણે છે, તે કાંઈ જ્ઞાનને કારણે આવે છે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com