SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૩૪ उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्यो।। २३४।। उन्मार्ग गच्छन्तं स्वकमपि मार्गे स्थापयति यश्चेतयिता। स स्थितिकरणयुक्तः सम्यग्दृष्टिातव्यः।। २३४ ।। હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે: ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૪. ગાથાર્થ- [ 4: વેતયિતા ] જે ચેતયિતા [૩ના રન્ત] ઉન્માર્ગે જતા [સ્વમ્ પિ] પોતાના આત્માને પણ [મા] માર્ગમાં [સ્થાપયતિ] સ્થાપે છે, [1] તે [ સ્થિતિવરણયુp:] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [ સચદૃષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો. ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ટ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ટ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ-જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ટ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી વ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે. સમયસાર ગાથા ૨૩૪: મથાળુ હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છેઃ * ગાથા ૨૩૪ : ટીકા ઉપરનું પ્રવચન * કારણ કે સમ્યગ્દષ્ટિ........” અહા! સમ્યગ્દષ્ટિ કોને કહીએ? હજી તો આ ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનની વાત તો કોઈ ઓર છે બાપા! Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy