________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-ર૩ર
जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु। सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्यो।। २३२ ।।
यो भवति असम्मूढः चेतयिता सदृष्टिः सर्वभावेषु। स खलु अमूढदृष्टिः सम्यग्दृष्टितिव्यः।। २३२।।
હવે અમૂઢદષ્ટિ અંગની ગાથા કહે છે –
સંમૂઢ નહિ જે સર્વ ભાવે, સત્ય દષ્ટિ ધારતો, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
ગાથાર્થ- [ 4: વેતયિતા ] જે ચેતયિતા [ સર્વમાવેy] સર્વ ભાવોમાં [સમૂઢ:] અમૂઢ છે- [ સદૃષ્ટિ:] યથાર્થ દષ્ટિવાળો [ભવતિ] છે, [સ:] તે [ ] ખરેખર [અમૂઢદSિ:] અમૂઢદષ્ટિ [સચદૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદષ્ટિ છે, તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.
સમયસાર ગાથા ૨૩ર : મથાળુ હવે અમૂઢદષ્ટિ અંગની ગાથા કહે છે:
અહા! કોઈ માર કે પ્રહાર કરે તો અહા ! હું તો આવો મુનિવર-આવો ધર્માત્મા છતાં આમ કેમ? એવી જ્ઞાનીને મુંઝવણ થતી નથી-એમ અમૂઢદષ્ટિની ગાથા કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com