________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૧
जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्यो।। २३१।। यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम्। स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टितिव्यः ।। २३१ ।।
હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે:
સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો;
ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧. ગાથાર્થ:- [ 4: વેયિતા] જે ચેતયિતા [ સર્વેષાનું ga] બધાય [ ધર્માનામ] ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે [[પુખ્ત ] જુગુપ્સા (ગ્લાનિ) [ રોતિ ] કરતો નથી [ સા ] તે [r] નિશ્ચયથી [ નિર્વિવિવિત્સ: ] નિર્વિચિકિત્સ (-વિચિકિત્સાદોષ રહિત) [ સભ્યED:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (-જુગુપ્સા રહિત છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
સમયસાર ગાથા ૨૩૧ : મથાળુ હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ
જુઓ, પોતાના સ્વદ્રવ્યને છોડીને જેને પરપદાર્થોની અભિલાષા છે તેને હું એક શુદ્ધ પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું—એમ પોતાના પૂરણ સ્વરૂપમાં સંદેહ છે, અવિશ્વાસ છે અને તેથી તે મિથ્યાદષ્ટિ છે. તે જૂઠી દૃષ્ટિમાં રહેલો બિચારો દુ:ખના પંથે છે. પરંતુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com