SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ તો અહીં કહ્યું છે ને? હા, પણ એ તો જ્ઞાનીને ભોગની રુચિ નથી પણ અંદર ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન નિર્મળ આનંદની રુચિ જામી ગઈ છે તેથી એમ કહ્યું છે. જ્ઞાનીને રાગની ચિનો અભાવ અને સ્વરૂપની રુચિનો સદ્ભાવ થયો છે અને તે કારણે તેને બંધની શક્તિ રોકાઈ ગઈ છે. તેથી કહ્યું કે જ્ઞાની કર્મોદયને ભોગવતો છતો, રાગાદિનો અભાવ હોવાથી કર્મોથી બંધાતો નથી. સમજાણું કાંઈ...? * ગાથા ૧૯૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિધાના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી.' અહાહા...! જુઓ, આ કેવું દષ્ટાંત આપ્યું છે! કહે છે-વૈદ્ય પોતાના મંત્ર, તંત્ર આદિ સિદ્ધિઓના સામર્થ્ય વડે ઝેરમાં રહેલી મરણ નીપજાવવાની શક્તિનો નાશ કરે છે, અને તેથી ઝેર ખાવા છતાં તેનું મરણ થતું નથી. આથી એમ ન સમજવું કે ઝેર ખાવાથી હરકોઈને મરણ ન થાય, આ તો વૈદ્યને જે શક્તિવિશેષ પ્રગટ થઈ છે એનો પ્રભાવ અહીં દર્શાવ્યો છે. તેમ જ્ઞાનીને અંતર્દષ્ટિ વડે એવી જ્ઞાનની શક્તિ-વિશેષ પ્રગટ થઈ છે કે કર્મોદયની નવીન બંધ કરવાની શક્તિનો તે અભાવ કરી દે છે. જ્ઞાનીને ભોગ પ્રતિ હેયબુદ્ધિ છે જે વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિનો નાશ કરે છે. તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી નવીન કર્મબંધ થતો નથી. ત્યારે કોઈ (અજ્ઞાનીઓ) કહે છે-જુઓ! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે ! આવી નિરંકુશ ભોગની વાત! ગજબ છે ને? ભાઈ ! આ તો ભગવાન કુંદકુંદાચાર્ય આમ કહે છે. આ કઈ અપેક્ષાથી વાત છે તે યથાર્થ સમજવી જોઈએ. શું ભોગ કરવો એવો એનો અર્થ (અભિપ્રાય) છે? જ્ઞાનીને ભોગમાં નિર્જરા થાય છે એ તો બીજી અપેક્ષાથી વાત છે. જ્ઞાનીને ભોગનો વિકલ્પ આવે છે પણ ભોગમાં તેને ઉપાદેયબુદ્ધિ નથી, ભોગથી મને હિત છે, સુખ છે-એવી બુદ્ધિ અને ચાલી ગઈ છે. ધર્મીને જે રાગની રુચિ નથી, રાગમાં એકત્વ નથી તે એને પ્રગટ થયેલા જ્ઞાનનું ભેદજ્ઞાનનું સામર્થ્ય છે. અને તે જ્ઞાનના મહા આશ્ચર્યકારી સામર્થ્ય વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિને હણી નાખે છે. મતલબ કે જ્ઞાનીને ભોગમાં ઉપાદેયપણાની બુદ્ધિ નહિ હોવાથી ભોગનો ભાવ નવો બંધ કર્યા Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy