________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોચ્છવાસ અને આયુ-તેનું છૂટી જવું તેને લોકો મરણ કહે છે. પરંતુ
‘મરચ માત્મ: પ્રાTI: નિ જ્ઞાન’ આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે.
એ શું કહ્યું? કે બાહ્ય પ્રાણોના નાશને લોકો મરણ કહે છે પણ આત્માના પ્રાણ તો શુદ્ધ જ્ઞાનાનંદ છે. પહેલી જીવત્વશક્તિ કહી છે ને ? ચૈતન્ય ભાવપ્રાણને ધારણ કરનાર જીવત્વશક્તિ છે. ‘નીવો વરિત્તવંસ |MTMક્રિય'–બીજી ગાથામાં છે ને? એમાંથી જીવત્વશક્તિ કાઢી છે. અહા ! જીવ તેને કહીએ કે જેમાં જીવત્વ શક્તિ હોય અને જીવત્વ શક્તિ એને કહીએ કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાના પ્રાણ હોય.
ઇન્દ્રિયાદિ જડ પ્રાણ અસદભૂત વ્યવહારનય છે, અને અશુદ્ધ ભાવપ્રાણ જે વર્તમાન-વર્તમાન યોગ્યતારૂપ છે તે અશુદ્ધ નિશ્ચયનય છે. માટે તે સ્વરૂપમાં તો છે નહિ. સ્વરૂપભૂત પ્રાણ તો શુદ્ધ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ને પ્રભુતા છે. અહાહા..! આત્મા પોતે પ્રભુ પરમાત્મા છે જેના પ્રભુત્વ પ્રાણ છે. અહા ! જ્ઞાનની પ્રભુતા, દર્શનની પ્રભુતા, આનંદની પ્રભુતા, સત્તાની પ્રભુતા, વીર્યની પ્રભુતા-એ જેના પ્રાણ છે તે જીવ છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદના પ્રાણથી જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. હવે કહે છે
‘તત સ્વયમેવ શાશ્વતતયાં નીતુવિદ્ છિદ્યતે' તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; “અત: તન્ચ મરણ વિગ્વન ન ભવેત્' માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી.
શું કહ્યું? કે આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, સત્તા તો શાશ્વત છે. તેમનો કદીય નાશ થતો નથી. જ્ઞાન-દર્શન-આનંદ-સત્તા જે સ્વરૂપભૂત પ્રાણ છે તેમનો કદી નાશ થતો નથી. દેહનો નાશ તો થાય, કારણ કે એ તો નાશવંત છે, પણ જ્ઞાન-દર્શનાદિ નિશ્ચયપ્રાણનો નાશ થતો નથી. માટે આત્માનું મરણ બીલકુલ થતું નથી.
| ‘જ્ઞાનિન: ત–મી ત:' તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય કયાંથી હોય? અરેરે ! હાય ! હું મરી જઈશ-એવો ભય જ્ઞાનીને હોતો નથી. કેમ? કેમકે પ્રતિક્ષણ જ્ઞાની તો પોતાના શાશ્વત જ્ઞાન ને આનંદમાં છે. દેહ મરે-છૂટે પણ આત્મા મરતો નથી એવું તેને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થયું છે ને? તેથી જ્ઞાનીને દેહ છૂટવા સંબંધી મરણનો ભય હોતો નથી.
અજ્ઞાનીને દેહાદિ બાહ્ય પ્રાણ છૂટી જવાનો નિરતર ભય રહે છે. મોટો (અજ્ઞાની) ચક્રવર્તી હોય, સોળ સોળ હજાર દેવો તેની સેવા કરતા હોય પણ દેહ છૂટે તો થઈ રહ્યું. પરપ્રાણમાં પોતાપણું માન્યું છે ને? તેથી તે ભયભીત થયો થકો બિચારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com