________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૫
अथ ज्ञानसामर्थ्य दर्शयति
जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी ।। ९९५ ।।
यथा विषमुपभुञ्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति । पुद्गलकर्मण उदयं तथा भुङ्क्ते नैव बध्यते ज्ञानी ।। ९९५ ।।
હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ
જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
ગાથાર્થ:- [ યથા] જેમ [ વૈદ્ય: પુરુષ: ] વૈધ પુરુષ [વિષમ્ ઉપમુખ્માન: ] વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો [મરણમ્ ન ઉપયાતિ] મરણ પામતો નથી, [ તથા] તેમ [જ્ઞાની] શાની [પુ।નર્મળ: ] પુદ્દગલકર્મના [૩વયં] ઉદયને [મુ] ભોગવે છે તોપણ [ન વ વધ્યુતે] બંધાતો નથી.
ટીકા:- જેમ કોઇ વિષવૈધ, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ ( રામબાણ ) વિધાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઇ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ પુદ્દગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં ( –હોઇને ) કર્મોદયની શક્તિ રોકાઇ ગઇ હોવાથી, બંધાતો નથી.
ભાવાર્થ:- જેમ વૈધ મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિધાના સામર્થ્યથી વિષના મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com