SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૩૮૩ સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] અજ્ઞાનનો મહિમા છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે-તેરી શુદ્ધતા ભી બડી, તેરી અશુદ્ધતા ભી બડી. પાર ન પમાય તેવી પ્રભુ! તારી અશુદ્ધતા છે, આ તો પર્યાયની વાત હોં; બાકી અંદર શુદ્ધતાની તો શું વાત ! શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા શુદ્ધ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. અહાહા..! એની શું વાત! અને એની દષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ પ્રગટે તેની પણ શી વાત! એ નિર્મળ પરિણતિ અશુદ્ધતાને પોતાનામાં ભળવા દેતી નથી એવો કોઈ અચિંત્ય જ્ઞાનનો મહિમા છે. અહીં કહે છે–જેને શુભાશુભ પરિણામ થાય છે તેવા સમકિતીને શુભાશુભભાવ ઉપર દષ્ટિ નહિ હોવાથી અને શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર જ દષ્ટિ હોવાથી બંધન થતું નથી જ્યારે શુભાશુભભાવ ઉપર જેની દષ્ટિ છે અને જેણે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને ભાવ્યો નથી તેવા અજ્ઞાનીને બંધન થાય છે. આવી વાત છે. હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છે: * કળશ ૧૫૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘રૂ' આ લોકમાં ‘યર્ચ યાદ : દિ સ્વમાવ: તાદવ તરસ્ય વશત: રિસ્ત' જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે. શું કહે છે? કે વસ્તુ-ભગવાન આત્મા શુદ્ધ શુદ્ધ પરમ પવિત્ર જ્ઞાનાનંદસ્વભાવ છે અને તે સ્વાધીન જ છે. અહાહા-! આત્માનો શુદ્ધ એક જ્ઞાયકભાવ-ચૈતન્યભાવ છે તે સહજ સ્વાધીન જ છે; તે પરાધીન નથી. પર્યાયમાં જે અપવિત્રતા-અશુદ્ધતા હોય છે તે પરને આધીન-નિમિત્ત (કર્મ)ને આધીન હોય છે, પણ શુદ્ધ એક સ્વભાવ-જ્ઞાયકસ્વભાવ તો સહજ સ્વાધીન જ હોય છે. હવે કહે છે-“US:' એવો વસ્તુનો જે સ્વભાવ તે, “પરે:' પર વસ્તુઓ વડે ‘થગ્વન પિ હિ' કોઈ પણ રીતે ‘કન્યાદશ:' બીજા જેવો ‘તું ન શક્યતે' કરી શકાતો નથી. અહીં, સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ને પવિત્ર છે તે, પર વડ-ધર્મી પરની સામગ્રીમાં રહેતો હોય તોપણ–તે પર સામગ્રી વડે બીજા જેવો કરી શકાતો નથી. પરપદાર્થના કારણે ધર્મીને અપરાધ થાય એમ કદીય નથી. એ જ વિશેષ કહે છે કે દિ' માટે “સત્તતં જ્ઞાન ભવત' જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે ‘વાન કપિ જ્ઞાન ન ભવેત્' કદી પણ અજ્ઞાન થતું નથી. અહાહા..! ધર્મીને નિરંતર શુદ્ધ ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે અને Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy