________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦ ]
ન રત્નાકર ભાગ-૭ આચાર્ય યોગીન્દ્રદેવ આ કહે છે કે-અનુભવી બુધ પુરુષ તો પુણ્યને પણ પાપ જાણે છે. સમયસારનો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત કરતાં ટીકામાં આ કહે છે કે-પુણ્યપાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને બહાર નીકળી ગયું. વળી ત્યાં કહ્યું છે કે-સ્વરૂપથી પતિત થાય છે તો વ્યવહારરત્નત્રય-રાગ ઉત્પન્ન થાય છે માટે તે પાપ છે. પહેલાં તેને પુણ્ય કહ્યું ને પછી તેને પાપમાં નાખી દીધું. આમ છે તો પછી જ્ઞાનીને પાપનો પ્રેમ કેમ હોય? અહા ! જ્યાં સ્વ-સ્ત્રી સંબંધી ભોગના પરિણામ પણ પાપ છે તો પછી પરસ્ત્રીના ભોગનું તો કહેવું શું? એ તો મહાપાપ છે, બાપુ!
અહીં તો જ્ઞાનીને રાગમાં રસ નથી એમ બતાવવું છે; જ્ઞાનીને ભોગના પરિણામમાં રસ નથી તેથી તે પરિગ્રપણાને પામતા નથી એમ વાત છે. પહેલાં કળશ ૧૩પમાં આવ્યું હતું ને કે-જ્ઞાની સેવક છતાં અસેવક છે; બસ આ વાત અહીં છે. રાગના ને ભોગના પરિણામમાં પ્રેમ નથી તેથી તેને કર્મોદયનો ભોગ પરિગ્રપણાને પામતો નથી.
ફરી કહે છે કે -
* કળશ ૧૪૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આ નિર્જરા અધિકાર છે. તો નિર્જરા કોને હોય છે, ધર્મ કોને હોય છે-એની અહીં વાત કરે છે. કહે છે-“યત:' કારણ કે “જ્ઞાનવીન ' જ્ઞાની “સ્વરસેત: પિ' નિજરસથી જ ‘સર્વર રવર્તનશીન: ' સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો ‘ચાત્' છે.
જોયું? અતીન્દ્રિય આનંદરસના ચૈતન્યરસના નિજરસથી જ જ્ઞાની સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. અહાહા...! જેને ચૈતન્યરસ નિજરસ છે તેને રાગનો રસ નિજરસ નથી. જ્ઞાનીને નિરસ જે ચૈતન્યરસ-ચિદાનંદરસ તે રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. આ અસ્તિ-નાસ્તિ કર્યું કે જ્ઞાનીને નિજરસ ચૈતન્યરસપણે છે ને રાગરસપણે નથી. રાગરસની નિજરસમાં-ચૈતન્યરસમાં નાસ્તિ છે. અહાહા..જેને નિજરસ નામ વીતરાગરસરૂપ ચિદાનંદરસનો સ્વાદ આવ્યો છે તેને રાગમાં રસ છે નહિ. હવે આવી વાતો લોકોને આકરી લાગે છે! પણ બાપુ! આ શાસ્ત્ર જ આમ પોકાર કરે છે.
અહાહા...! જેને આત્મરસ-અતીન્દ્રિય આનંદનો રસ અનુભવમાં આવ્યો છે તે જ્ઞાની છે અને તે નિજરથી જ ‘સ્વરસત: પિ'–સર્વ રાગના રસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. ગજબ વાત છે ભાઈ !
પ્રશ્ન:- પણ એ (આનંદરસનો અનુભવ) તો ક્રમબદ્ધમાં આવવાવાળો હશે તો આવશે ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com