________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે; એવો પંચ પરમગુરુ ( પ્રત્યેનો) રાગ છે.” આ કેવી રીતે છે?
ભાઈ ! ખરેખર તો સવારની સંધ્યામાં રાત (લાલાશ ) છે, પણ એ તો રાત પછી સૂર્ય ઊગે છે તે કારણે પ્રભાતની સંધ્યાની લાલશ સૂર્યોદયને કરે છે એમ કહ્યું છે; બાકી રાતને કારણે સૂર્યોદય થાય છે એમ નથી. તેમ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેનો રાગ જ્ઞાનીને હોય છે. તે છે તો રાગ જ; પણ તેનો વ્યય થઈ વીતરાગતા ને કેવળજ્ઞાન ઉપજે છે તો તે દેવગુરુ-શાસ્ત્રનો રાગ કેવળજ્ઞાનનો ઉદય કરે છે એમ ઉપચારથી કહ્યું છે. પણ ત્યાં રાગને કારણે વીતરાગતા ને કેવળજ્ઞાન થાય છે એમ નથી. ભાઈ ! વાસ્તવમાં જ્ઞાનીને તો રાગનો નિષેધ જ છે અને રાગનો પરિપૂર્ણ નિષેધ કરીને તે મુક્તિને પ્રાપ્ત થશે. આવો જ મારગ છે બાપુ! અહા ! જે પરિભ્રમણનું કારણ છે તેના પ્રત્યે જ્ઞાનીને પ્રીતિ કેવી ? અને જો પ્રીતિ હોય તો જ્ઞાની કેવો? આવી વાત છે.
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છે:
* કળશ ૧૪૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ફદ અષાવિતવચ્ચે' જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં ‘૨૭યુp:' રંગનો સંયોગ ‘સ્વીકૃતા' વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો ‘વદિ: gવ દિ સુવતિ' બહાર જ લોટે છે-અંદર પ્રવેશ કરતો નથી..
શું કહે છે? કે વસ્ત્રની અંદર પ્રવેશ નથી કરતો. કોણ? કે રંગ. કેવા વસ્ત્રમાં? તો કહે છે અકષાય વસ્ત્રમાં. અકષાય વસ્ત્ર એટલે શું? કે જેને લોધર ને ફટકડીનો ઓપ ચઢાવ્યો નથી એવું વસ્ત્ર. શું કહ્યું? કે જે વસ્ત્ર પર લોધર ને ફટકડીનો ઓપ ચઢયો નથી તે વસ્ત્ર રંગને ગ્રહણ કરતું નથી, તેને રંગ ચઢતો નથી. આ તો દષ્ટાંત છે.
હવે સિદ્ધાંત કહે છે-“જ્ઞાનિન: રાસરિyતયા ફર્મ પરિચદમાવે ન તિ' તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.
જેમ અકપાયિત વસ્ત્ર રંગ ગ્રહણ કરતું નથી તેમ રાગરસથી રહિત જ્ઞાનીને કર્મ પરિગ્રહપણાને પામતું નથી, અર્થાત્ જ્ઞાની રાગને ગ્રહણ કરતો નથી, રાગને પોતાના સ્વરૂપભૂત માનતો નથી, અહાહા....! પોતે રાગી થતો નથી. તો રાગનું શું થાય છે? કે રાગ બહાર ભિન્ન જ રહે છે.
રા'રસરિતા '—એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાની રાગ-રસથી રિક્ત-ખાલી છે. અહાહા..! સહજાનંદ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના પ્રેમમાં રાગનો પ્રેમ જ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com