________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૯ સર્વનું તાત્પર્ય વીતરાગતા જ છે. તેવી રીતે ક્ષણે ક્ષણે પર્યાય ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એવું કથન આવે તેનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. પણ વીતરાગતા પ્રગટે કયારે? કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે. ભાઈ ! ચારે અનુયોગમાંથી જે જે વાણી આવે તેનું રહસ્ય વીતરાગતા છે એમ તેમાંથી કાઢવું જોઈએ, અને વીતરાગતા સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે, માટે ચારે અનુયોગમાં એક સ્વના આશ્રયનું જ કથન છે એમ સમજવું જોઈએ. અહાહા...! સ્વ-સન્મુખ થવું એ જ વીતરાગની વાણીનો સાર છે.
અહીં કહે છે-“વેધ-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેધભાવ ક્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં (પલો) વધભાવ નાશ પામી જાય છે; એ રીત વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે?” જેનાં ફળ ન આવે અર્થાત્ જે નિરર્થક નિષ્ફળ જાય એવી વાંછા જ્ઞાની કેમ કરે ? ન કરે એમ કહે છે. ગાથા બહુ ઊંચી છે. તેને ધીરજથી સમજવી જોઈએ.
અહાહા...! વાંછિત વેદાતું નથી, પછી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે ? ન કરે. એ તો કહેવાઈ ગયું કે જ્ઞાની નિજ સ્વરૂપને-નિત્યાનંદ પ્રભુ આત્માને-વેદે છે. આત્મા જ વેધ છે અને આત્મા જ તેને વેદક છે. અર્થાત્ પોતે જ વેદવાયોગ્ય છે અને પોતે જ આનંદનો વેદનારો છે. વિકારનું કરવું અને વેદવું-એ બેય જ્ઞાનીને નથી, જ્ઞાનીને તો એનું માત્ર જાણવું છે. અહીં તો દષ્ટિ અને દ્રવ્યની અપેક્ષાએ વાત છે ને? બાકી જ્યારે જ્ઞાન અપેક્ષાએ વાત લે ત્યારે એમ છે કે જે રાગ થાય છે તે પોતાથી થયો છે અને પોતે તેનો ભોક્તા છે-એમ જ્ઞાની જાણે છે. ભારે વાત થઈ.
એક કોર કહે કે સમ્યગ્દષ્ટિને બંધ થતો નથી અને બીજી કોર કહે કે દેશમાં ગુણસ્થાન સુધી તેને રાગ છે, અને છ કર્મ પણ બાંધે છે!!! આ કેવું !
ભાઈ ! એ તો દષ્ટિ અને દષ્ટિનો વિષય અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે. તેથી સ્વભાવ અને સ્વભાવની દૃષ્ટિથી વર્ણન હોય ત્યાં એમ આવે કે ધર્મીને સ્વભાવભાવ વ્યાપક અને વર્તમાન સ્વભાવપર્યાય તેનું વ્યાપ્ય છે; પણ વિકારી પર્યાય સ્વભાવનું વ્યાપ્ય નથી. તેથી સ્વભાવની દષ્ટિમાં ધર્મીને રાગ ને રાગજનિત બંધ નથી એમ કહ્યું. પરંતુ જે કાળે દૃષ્ટિ થઈ છે તે જ કાળે જ્ઞાન પણ સાથે છે ને? દષ્ટિમાં તો એકલો અભેદ નિર્વિકલ્પ (સ્વભાવ) છે, અને દૃષ્ટિ પણ નિર્વિકલ્પ છે; પણ જ્ઞાન તે કાળે બેને (અભેદ અને ભેદને) જાણે છે. તો તે કાળે પ્રગટ થયેલું જ્ઞાન એમ જાણે છે કે-પર્યાયમાં જેટલો (અસ્થિરતાનો) રાગ છે તે પોતાનું પરિણમન છે અને પોતે તેનો કર્તા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com