________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહાહા...! ધર્મીને તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવ ઉપર જ દષ્ટિ છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સમકિતીને, સ્વભાવભાવની ધ્રુવતાને લઈને અખંડ એક જ્ઞાયકભાવનો જ આશ્રય હોય છે. તે કારણે વિભાવભાવરૂપ વેધ-વેદકભાવો કે જેમનું ઉત્પન્ન થવું ને નાશ થવું એવું ક્ષણિકપણું લક્ષણ છે તેને ધર્મી કેમ ઇચ્છે? (ના જ ઇચ્છે). અહાહા...! સમકિતી છ ખંડના રાજ્યના વૈભવમાં હોવા છતાં તેને છ ખંડના વૈભવ પ્રતિ કે હજારો સ્ત્રીના વિષયમાં રમવા પ્રતિ ભાવના નથી, ઇચ્છા નથી; કેમકે તે જાણે છે કે જ્યારે ઇચ્છા છે ત્યારે ભોગવવાનો કાળ નથી અને ભોગવવાના કાળે તે ઇચ્છા નાશ પામી ગઈ હોય છે. આવી નિરર્થક વાંઝણી ઇચ્છા જ્ઞાની કેમ કરે ? અજ્ઞાની આવી નિરર્થક ઇચ્છા કર્યા કરે છે. અજ્ઞાની કરો તો કરો; જ્ઞાની તો નિત્ય એક શાકભાવને છોડીને ક્ષણિક નિરર્થક ભાવોની ભાવના કરતો નથી, આવો ઝીણો મારગ વીતરાગનો ! કદી સાંભળવા ન મળ્યો હોય એટલે ઠેકડી કરે કે “આ તો નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે !' પણ એથી પ્રભુ! તને લાભ નહિ થાય હોં. આ નિશ્ચયની વાત છે એટલે જ સત્ય વાત છે.
પ્રશ્ન- તો શું જ્ઞાની ભોગ ભોગવે છે છતાં તેને ભોગની ઇચ્છા નથી ?
ઉત્તર:- અરે ભાઈ! તે કઈ અપેક્ષાએ વાત છે? જ્ઞાનીને રાગમાં-ભોગમાં રસ ઊડી ગયો છે, છતાં તેને જે રાગ-ભોગ હોય છે–આવે છે તેને તે ઝેર સમાન જાણે છે. (તેથી તેને ભોગની ઇચ્છા નથી એમ કહ્યું છે). એ તો પહેલાં આ અધિકારમાં (કળશ ૧૩૫ માં) આવી ગયું છે કે જ્ઞાની સેવક છતાં અસેવક જ છે. ભાઈ ! આવો મારગ વીતરાગ સિવાય બીજે કયાંય નથી. અહો ! દિગંબર સંતોએ તો કેવળીનાં પેટ ખોલીને મૂકયાં છે. અહા ! ભગવાન કુંદકુંદની એક એક ગાથા અપાર ઊંડપથી ભરેલી છે.
અહાહા....! ઇચ્છાકાળ અને ભોગવવાનો કાળ એ બેનો મેળ ખાતો નથી. માટે એવી ઇચ્છા કોણ (જ્ઞાની) કરે ?
પ્રશ્ન:- પણ ઇચ્છા વખતે પદાર્થ હોય એવું બને કે નહિ?
સમાધાન - એવું ત્રણકાળમાં બને નહિ; કેમકે જો ઇચ્છા વખતે પદાર્થ હોય તો ઇચ્છા શું કામ થાય? ઇચ્છા એ એક સમયની પર્યાય છે અને તે એક સમયની ઇચ્છા વેધ-કાંક્ષમાણ છે. કાંક્ષમાણ નામ “મારે આ જોઈએ,’ ‘હું આને ભોગવું.' આવી ઇચ્છાનો કાળ ક્ષણિક છે. માટે જ્યારે ચીજ આવી જાય છે ત્યારે ઇચ્છાનો કાળ હોતો નથી. તેથી તે ઇચ્છા નિરર્થક જાય છે. સમજાણું કાંઈ..?
પ્રશ્ન- હા; પણ પહેલાં (ગાથા ૨૧૫ ના ભાવાર્થમાં) તો એમ આવ્યું કે “જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે.' તો આ કેવી રીતે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com