________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭૪ ].
ચન રત્નાકર ભાગ-૭ પદ ‘નાણો તેમાં સો દોઢિ'!–તેની ગંભીરતાનું શું કહેવું ! અહા ! જ્ઞાની તો માનનો જ્ઞાયક જ રહે છે.
આ પ્રમાણે આપ જ્ઞાનીનો બચાવ કર્યા કરો છો.
એમ નથી ભાઈ ! તને જ્ઞાનીના અંતરની ખબર નથી બાપુ! અહાહા..! અંદર “સ્વયંજ્યોતિ સુખધામ” પ્રભુ પોતે છે. અહાહા....! એનું સ્વાનુભવમાં જ્યાં ભાન થયું
ત્યાં, જે કિંચિત્ માન આવે છે તેનો જ્ઞાની જ્ઞાતા જ રહે છે, પણ તે માનને જ્ઞાની પોતાનામાં ખતવતો નથી અર્થાત્ માનનું તેને સ્વામિત્વ નથી. જન્મ-મરણ મટાડવાનો આવો અંતરનો મારગ ભાઈ ! સ્વાનુભવ વડે પ્રાપ્ત કરતાં સમજાય એવો છે.
હવે માન પછી માયા; ધર્મીને જરી માયા પણ આવી જાય છે પણ તેને માયાની ભાવના-ઇચ્છા નથી. એ તો માયાનો જ્ઞાયક જ રહે છે. જ્ઞાનગુણમાં સ્વ અને પરને પ્રકાશવાનું સામર્થ્ય છે; એટલે માયાના કાળમાં તેનું (માયાનું) જ્ઞાન અને પોતાનું (આત્માનું) જ્ઞાન એકસાથે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જ્ઞાની માયાનો જ્ઞાતા જ છે, કર્તા નહિ.
હવે લોભ; જ્ઞાનીને જરીક લોભ પણ થઈ જાય છે પણ તેને લોભનો લોભ હોતો નથી. આત્માના નિરાકુળ આનંદના રસ આગળ તેને લોભનો રસ ઉડી ગયો હોય છે. અહા ! તેને લોભ આવે છે પણ તેની મીઠાશ તેને ઉડી ગઈ હોય છે.
સ્વાનુભવમાં જેણે આત્મા જાણ્યો અને અનુભવ્યો છે તેને કિંચિત્ લોભ આવે છે તોપણ તેનો તે જ્ઞાયક જ રહે છે.
હવે કર્મ. આઠ કર્મ જે છે તે મારાં નથી એમ જ્ઞાની જાણે છે. ગોમ્મદસાર આદિનો સ્વાધ્યાય કરે એટલે તેને ખ્યાલમાં આવે કે આઠ કર્મ છે અને તેની આવી આવી પ્રકૃતિ છે પણ જ્ઞાની તેનું જ્ઞાન જ કરે છે. કર્મ મારાં છે ને હું કર્મમાં છું કે કર્મ વડે મને લાભનુકશાન છે-એમ જ્ઞાની માનતો નથી. ઝીણી વાત છે ભાઈ ! પોતાનો આત્મા અતિ સૂક્ષ્મ છે ને! અહાહા...! અતિ સૂક્ષ્મ એવા જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનું જેને અંતરમાં વેદન પ્રગટ થયું છે અર્થાત્ જેને સ્વસંવેદનશક્તિ પ્રગટ થઈ છે તે ‘કર્મ છે” બસ એમ જાણે છે અર્થાત્ તે, જે કર્મ છે તેનું માત્ર જ્ઞાન કરે છે પણ કર્મ ભલાં-બૂરાં છે, ઇષ્ટઅનિષ્ટ છે એમ તે માનતો નથી. અહા ! જેણે શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તે મોક્ષના પંથે-સુખના પંથે છે. તે, કર્મ જે છે તેને જાણે છે પણ કર્મ મને હેરાન કરે છે વા લાભ કરે છે એમ માનતો નથી.
જ્ઞાનીને હજી આઠ કર્મ તો છે, વળી તે આયુ બાંધે છે એમ તો આવે છે? સમાધાન- ભાઈ ! જ્ઞાનીને કર્મનો ખ્યાલ આવતાં તેનું તે જ્ઞાન કરે છે, પણ
Please inform us of any errors on
[email protected]