________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૧
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।। २११।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यधर्मम् । अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स મતિ।। ૨।।
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો ) પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧.
ગાથાર્થ:- [ અનિચ્છ: ] અનિચ્છકને [ અપરિગ્રહ:] અપરિગ્રહી [મળત: ] કહ્યો છે [ઘ] અને [ જ્ઞાની] જ્ઞાની [અધર્મમ્] અધર્મને (પાપને) [૬ તિ] ઇચ્છતો નથી, [તેન] તેથી [સ: ] તે [ અધર્મસ્ય] અધર્મનો [અપરિપ્ર8: ] પરિગ્રહી નથી, [ જ્ઞાયŌ: ] (અધર્મનો ) જ્ઞાયક જ [મવૃત્તિ ] છે.
ટીકા:- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે આ (જ્ઞાની ) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
એ જ પ્રમાણે ગાથામાં ‘ અધર્મ' શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શન-એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
*
*
*
સમયસાર ગાથા ૨૧૧ : મથાળું
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો ) પરિગ્રહ નથી એમ કહે છે:
* ગાથા ૨૧૧ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
ઇચ્છા પરિગ્રહ છે.’ શું કહ્યું ? કે કોઈ પણ પદાર્થની ઇચ્છા તે પરિગ્રહ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com