________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૭
को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं। अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो।। २०७।।
को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति द्रव्यम्।
માત્માનમાત્મ: પરિચદં તુ નિયત વિનાનના ર૦૭ના હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છેઃ
પદ્રવ્ય આ મુજ દ્રવ્ય” એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭. ગાથાર્થ:- [ આત્માનતુ] પોતાના આત્માને જ [ નિયd] નિયમથી [ માત્મ: પરિ૬] પોતાનો પરિગ્રહ [ વિનાન] જાણતો થકો [5: નામ વુધ:]
ક્યો જ્ઞાની [ ભત્] એમ કહે કે [< Yરદ્રવ્ય] આ પારદ્રવ્ય [ મમ દ્રવ્ય ] મારું દ્રવ્ય [ ભવત] છે?
ટીકા - જે જેનો સ્વભાવ છે તે તેનું “'સ્વ' છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે–એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું “સ્વ” નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રસ્તો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થ:- લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.
સમયસાર ગાથા ૨૦૭: મથાળું હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છે –
૧. સ્વ = ધન, મિલકત માલિકીની ચીજ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com