________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ગંભીર વાત છે પ્રભુ! જેમ આકાશ અંત વિનાનું ગંભીર છે તેમ આત્માની જ્ઞાનપર્યાય પણ ગંભીર છે અને અનંતને જાણનારી ભાવમાં અનંત છે; શ્રુતજ્ઞાનની પર્યાય પણ હોં.
અહીં કહે છે–‘ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ
ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી.' નિમિત્તનો અભાવ થતાં અને સ્વભાવની પ્રગટતા થતાં જે અનેક દશાઓ ઉત્પન્ન થાય છે તે એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે-ભેદરૂપ ન અનુભવવી. અહા! નિશ્ચય સમ્યગ્દર્શન અને જ્ઞાનની પર્યાયો જે એક પછી એક થાય છે તેને ખંડખંડરૂપે ન અનુભવવી, પણ અભેદ જ્ઞાનરૂપ જ અનુભવવી. આવી વાત છે.
*
હવે વળી વિશેષ કહે છે:
*
'
*
* કળશ ૧૪૨ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
અહાહાહા...! કહે છે-કોઈ જીવો તો ‘વુરતê:' અતિ દુષ્કર (મહા દુઃખે કરી
k
શકાય એવાં ) અને મોક્ષ-ઉન્મુā: ' મોક્ષથી પરાન્મુખ એવાં ‘ર્મમિ:' કર્મો વડે
'સ્વયમેવ ' સ્વયમેવ ( અર્થાત્ જિન-આજ્ઞા વિના) ‘વિજ્ઞશ્યન્તાં' ક્લેશ પામે તો પામો’
જુઓ, આ અન્યમતી મિથ્યાદષ્ટિની વાત છે. કહે છે-જે વ્યવહા૨ ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞાથી બહાર છે એવાં તપ, ઉપવાસ આદિ કર્મો વડે કોઈ અજ્ઞાની કલેશ પામે તો પામો. મતલબ કે તે જે કાંઈ પણ કરે છે તે મિથ્યાદષ્ટિપણે કરે છે અને તે વડે માત્ર કલેશને-દુ:ખને જ પામે છે.
વળી કહે છે-‘વ' અને ‘રે’ બીજા કોઈ જીવો ‘ મહાવ્રત-તપ:- મારે’ (મોક્ષની સંમુખ અર્થાત્ કચિત્ જિન-આજ્ઞામાં કહેલાં ) મહાવ્રત અને તપના ભારથી ‘વિરમ્' ઘણા વખત સુધી ‘મન્ના:' ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા ) ‘વિનશ્યન્તાં’ લેશ પામે તો પામો;...
જુઓ, આ મિથ્યાદષ્ટિ જૈનની (જૈનાભાસીની) વાત કરી છે. પહેલાં મિથ્યાદષ્ટિ અજૈનની–અન્યમતીની વાત કરી અને આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની આજ્ઞા પ્રમાણે મહાવ્રત આદિ પાળે છે એવા જૈનાભાસીની વાત કરે છે. કહે છે–તેઓ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, તપ ઇત્યાદિ ચિરકાળ સુધી પાળીને કલેશ પામે તો પામો. શું કહ્યું આ? મહાવ્રત, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ પાળવાનો જે રાગ છે તે કલેશ છે. છે અંદર ?
જુઓ, આ શું કહે છે અહીં ? કે જિનાજ્ઞામાં કહેલાં મહાવ્રત અને તપ-એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com