________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, ‘: પિ મને વમવન' એક હોવા છતાં અનેક થતો ‘હતિifમ:' જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડ “વાતિ' દોલાયમાન થાય છેઉછળે છે.
‘મિન૨૨ :' એટલે કે આત્મા જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો છે. અર્થાત્ આત્માના જ્ઞાનની પર્યાયો અનેકરૂપે પરિણમે છે છતાં તે (આત્મા) અભિન્ન છે; સ્વભાવમાં એકત્વ છે તેમાં ખંડ પડતો નથી.
હવે કોઈને થાય કે આવું વ્યાખ્યાન?
ભાઈ ! જો તારે કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે અને આ કરવું પડશે. અહાહા..! કહે છે-કલ્યાણનો સાગર પ્રભુ તું છો ને? તેમાંથી કણ કાઢ તો તારું કલ્યાણ થઈ જશે. અશીમાંથી અંશ કાઢે તો તે અંશમાં પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ, તને આનંદ થશે, સંતોષ થશે અને તું તૃત-તૃમ-તૃત થઈ જઈશ. જાણે સિદ્ધપદ પ્રાપ્ત ન થયું હોય એવી તૃપ્તિ થશે. તારી અંદર સ્વરૂપમાં દષ્ટિ પડતાં ચૈતન્યરત્નાકર ભગવાન આત્મા નિર્મળથી પણ નિર્મળ પર્યાયે ઉછળશે અને છતાં તે અભિન્ન રહેશે; તેમાં ખંડ ખંડ નહિ પડ એમ કહે છે.
વળી આત્મા સ્વરૂપે-શક્તિએ-ગુણે એકરૂપ હોવા છતાં ‘નેવીમવન' પર્યાયમાં નિર્મળતાની અનેતાએ પરિણમે છે અને તે એનું સ્વરૂપ જ છે. જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન એકમેક છે એવો ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા એક હોવા છતાં અનેક નિર્મળથી નિર્મળ પર્યાયોરૂપે થાય છે, અને ઉદભવતા જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે ‘વત્રાતિ' ડોલાયમાન થાય છે. શું કહ્યું? કે જેમ સમુદ્ર તરંગોથી ડોલાયમાન થાય છે તેમ
સ્વના આશ્રયે ઉદ્ભવતી નિર્મળથી નિર્મળ પર્યાયો વડે આત્મા પણ ડોલાયમાન થાય છે. (આનંદની ભરતીથી ડોલી ઊઠે છે).
હવે આવી વાતો ?
ભાઈ ! તને તારા ભગવાનની અહીં ઓળખાણ કરાવે છે કે ભગવાન! તું આવો છો. અહાહાહા...નાથ ! તું ત્રણલોકના નાથ-ભગવાનની હોડમાં બેસી શકે એવી તારી નાત છે હોં. આનંદઘનજી કહે છે ને કે
“બીજો મન મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત જિનેશ્વર....
પ્રભુ! તારી કુળની રીતના અમે છીએ હોં. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વરની નાતના અને જાતના અમે છીએ.'
અરે ! પણ આવું એને કેમ બેસે? પણ ભાઈ ! સ્વરૂપના અનુભવ વિના તારાં સર્વ આચરણ એકડા વિનાનાં મીંડાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com