SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ચૈતન્યરત્નાકર છે. અહાહાહા...! જેમ માતા બાળકને ઘોડિયામાં ઉંઘાડવા માટે તેનાં વખાણ કરે છે કે- ભાઈ તો મારો ડાહ્યો...' ઇત્યાદિ તેમ આચાર્ય ભગવાન અહીં આત્માને જગાડવા માટે તેને ‘ભગવાન અદ્ભુતિનિધ ચૈતન્યરત્નાકર' કહીને પ્રશંસે છે. પ્રભુ! એ તો તારાં સ્વરૂપનાં ગીત સંતો તને સમજાવે છે. શ્રી પરમાત્મ પ્રકાશમાં તથા સમયસારના બંધાધિકારમાં (ગાથા ૨૮૩ થી ૨૮૫ જયસેનાચાર્યની ટીકામાં) આવે છે કે ‘સહનશુદ્ધજ્ઞાનાનંવૈવસ્વમાવોö, -સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે તે હું છું, નિર્વિષો ં, ૩વાસીનોö, નિતંબનનિનશુદ્ધાત્મસમ્યશ્રદ્ધાનज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातवीतरागसहजानंदरूपसुखानुभूति मात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन संवेद्यो શમ્ય: प्राप्यो भरितावस्थोऽहं । ' લ્યો, ‘મરિતાવસ્થો ં’ એટલે કે મારો નાથ જે પૂર્ણ શક્તિથી ભરેલો ભગવાન છે તે હું છું. તથા વીતરાગ સહજ આનંદ જેનું લક્ષણ એવા સ્વસંવેદનજ્ઞાનની પર્યાયથી જણાઉંવેદાઉં–પ્રાપ્ત થાઉં તેવો હું છું. વ્યવહારના વિકલ્પથી જણાઉં એવો હું નથી. અહાહાહા... ! જુઓ આ ચૈતન્યરત્નાકર પ્રભુ આત્માનું સ્વરૂપ! વળી કહે છે–હું સર્વ વિભાવથી રહિત એવો શૂન્ય છું-રાગ-દ્વેષ-મોહ-ોધ-માન-માયા-લોમ-પંચંદ્રિયવિષયવ્યાપાર મનોવવનાયવ્યાપાર-ભાવળર્મ-દ્રવ્યર્મ-નોર્મ-ધ્યાતિ-પૂના-નામ-દદશ્રુતાનુભૂતभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्वविभावपरिणामरहितशून्योऽहं। जगत्त्रयेऽपि कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयेन तथा सर्वे जीवाः इति નિરંતર ભાવના ર્તવ્યા। અહાહા...! ત્રણે લોકમાં અને ત્રણે કાળે, મન-વચન-કાયે બધા જીવો આવા છે એવી નિરંતર ભાવના કરવી એમ કહ્યું છું. ભાઈ! તું કોણ છો ? તો કહે છે ભગવાન છો; ભગ નામ જ્ઞાન અને આનંદના સ્વભાવની લક્ષ્મીસ્વરૂપ છો. ભાઈ! જ્ઞાન અને આનંદ જ તારું સ્વરૂપ છે. વળી તું અદ્દભુતિનિધ છો. શું કહ્યું? ભગવાન આત્મા અદ્દભુતનિધિ છે. અહાહા...! જેમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઇત્યાદિ અનંત અનંત સ્વભાવો ભર્યાં છે એવો મહા આશ્ચર્યકારી ખજાનો ભગવાન આત્મા છે. ભાઈ ! તને અબજોની નિધિ હોય તોપણ તે સંખ્યાત છે, તેની હદ છે; જ્યારે આ અદ્દભુત ચૈતન્યરત્નાકરની નિધિ બેહુદ-અપાર છે. આકાશના પ્રદેશોની સંખ્યા અનંત છે. તેના કરતાં પણ અનંતગુણા ગુણરત્નો ચૈતન્યરત્નાકરમાં ભર્યાં છે. સ્વયંભૂરમણસમુદ્રમાં રેતીની જગ્યાએ નીચે રત્નો ભર્યાં છે. તેમ આ સ્વયંભૂ ભગવાન આત્મામાં-જે સ્વયંથી રહેલો–થયેલો છે અને સ્વયંથી પ્રગટ થાય તેવો છે એવા સ્વયંભૂ ભગવાન આત્મામાંઅનંત ચૈતન્યનાં રત્નો ભર્યાં છે. અહો ! ૫૨મ આશ્ચર્યકારી સ્વરૂપ ભગવાન Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy