________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
વચન રત્નાકર ભાગ-૭
હવે અહીં પંડિત શ્રી જયચંદજી મંગલાચરણ કહે છે
“રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત; પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત.”
પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી નવો બંધ થાય છે. સંત કહેતાં સાધુ પુરુષો શુભાશુભભાવનો નિરોધ કરીને નવા બંધને હણી દે છે, અટકાવે છે; અને પૂર્વના ઉદયમાં સમ એટલે સમતાભાવપણે રહે છે. આનું નામ નિર્જરા છે. પંડિત શ્રી જયચંદજી કહે છેઆવા નિર્જરાવંત સંત પુરુષોને હું નમસ્કાર કરું છું.
હવે, “પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે “હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં તત્ત્વોનું નૃત્ય બતાવવું છે ને? આત્મા શુદ્ધપણે પરિણમે તે સંવર તત્ત્વનું નૃત્ય છે અને શુદ્ધિની વૃદ્ધિપણે પરિણમે તે નિર્જરા તત્ત્વનું નૃત્ય છે. તેથી કહે છે-“જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. ' ભાઈ ! આ જેટલી પર્યાય છે તે બધીય જુદા જુદા સ્વાંગ છે; પર્યાય છે તે દ્રવ્યનો સ્વાંગ છે.
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છે:
* કળશ ૧૩૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પર: સંવર:' પરમ સંવર, “રા—િકાવ–ોધત:' રાગાદિ આગ્નવોને રોકવાથી નિધુરાં વૃત્વ' પોતાની કાર્યધુરાને ધારણ કરીને “સમસ્તનું નામ ' સમસ્ત આગામી કર્મને ‘ભરત: નૂરાન્ ' અત્યંતપણે દૂરથી જ ‘નિરુન સ્થિત' રોકતો ઊભો છે.
શું કહ્યું? આત્મામાં રાગનો અભાવ થઈને વીતરાગી પરિણતિનું થયું તે પરમ સંવર છે. ભાઈ ! આ વીતરાગી માર્ગ છે અને તેથી એમાં આત્માના આશ્રય જેટલી વીતરાગ પરિણતિ પ્રગટ થાય છે તેને સંવર નામ ધર્મ કહે છે. આસ્રવને રોકતાં સંવર થાય છે. કોઈ પંચમહાવ્રતના પરિણામને ધર્મ-સંવર કહે તો તે બરાબર નથી કેમકે એ તો આગ્નવભાવ છે. પુણ્યના સઘળા પરિણામ આસ્રવ છે અને બધાય રાગાદિ આગ્નવોને રોકવાથી સંવર થાય છે-એમ કહે છે.
આવો સંવર પોતાની કાર્યધુરાને ધારણ કરે છે અર્થાત્ પોતાના કાર્યને (-ફરજને) બરાબર સંભાળે છે. જેમ પગારદાર માણસને તેની ડયુટી (-ફરજ) હોય છે ને? તેમ સંવરની આ ડયુટી (ફરજ) છે કે-શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિપૂર્વક પુણ્ય-પાપના ભાવને રોકીને નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ કરવી. સંવરની આ કાર્યધુરા છે અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com