________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ (ચોખ્ખાં) મહાવ્રત પણ કયાં છે? જે મહાવ્રતના પરિણામે નવમી રૈવેયક ગયો હતો એ મહાવ્રત અત્યારે છે કયાં? (નથી)
પ્રશ્ન:- પંચમકાળના છેડા સુધી સાધુ રહેવાના છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર:- શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં ખુલાસો આવે છે કે આ કાળમાં હંસનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ ન દેખાય તેથી કાંઈ અન્યપક્ષીને (કાગડાને) હંસ ન મનાય. તેમ આ કાળમાં મુનિનો સદ્દભાવ કહ્યો છે અને તે (ભરતક્ષેત્રમાં) બીજે કયાંક હશે, પણ તમે રહો છો ત્યાં મુનિ દેખાતા નથી તેથી અન્યને કાંઈ મુનિ ન મનાય. ભાઈ ! એક દિગંબર મત સિવાય અન્ય બધાય ગૃહીત મિથ્યાષ્ટિ છે. તેમને સમકિત તો નથી પણ અગૃહીત ઉપરાંત ગૃહીત મિથ્યાત્વ છે. ઝીણી વાત છે ભાઈ ! સ્થાનકવાસી અને શ્વેતાંબરની જેને માન્યતા છે તેને સમકિત ન હોઈ શકે. આકરી વાત છે પ્રભુ! પણ આ સત્ય વાત છે. અને દિગંબરમાં પણ નગ્નપણું અને પાંચ મહાવ્રતના પરિણામ એ કાંઈ મુનિપણાનું લક્ષણ નથી. અને જો પોતાના માટે બનાવેલો આહાર લે છે તો તેને મહાવ્રત પણ સરખાં નથી, પછી સમકિત ને મુનિપણાની તો વાત જ કયાં રહી ? શ્રી દીપચંદજીએ ભાવદીપિકામાં લખ્યું છે કે-હું જોઉં છું તો કોઈ સાધુ આગમની શ્રદ્ધાવાળા દેખાતા નથી અને કોઈ વક્તા પણ આગમ પ્રમાણે વાત કરે તેવો દેખ્યો નથી; અને જો મોઢેથી સત્ય વાત કહેવા જાઉં છું તો કોઈ માનતા નથી. માટે હું તો લખી જાઉં છું કે માર્ગ આ છે, બાકી બીજો માર્ગ જે કહે છે તે જૂઠા છે. અહા ! ૨૫૦ વર્ષ પહેલાં આ સ્થિતિ છે તો અત્યારની વાત તો શું કરવી ? અરે ભાઈ ! હજુ સમકિતનાં ઠેકાણાં ન મળે ત્યાં મુનિપણું કેમ હોય ? જ્યાં વ્યવહાર શ્રદ્ધા પણ સાચી નથી ત્યાં સમકિતની તો વાત જ શી કરવી? વળી જે કુદેવને દેવ માને છે, કુગુરુને ગુરુ માને છે તથા કુશાસ્ત્રને શાસ્ત્ર માને છે એ તો ગૃહીત મિથ્યાદષ્ટિ છે.
પ્રશ્ન- આપ આમ કહેશો તો ધર્મ કેવી રીતે ચાલશે?
સમાધાનઃ- ધર્મ તો અંદર આત્માના આશ્રયે ઉત્પન્ન થાય છે અને આત્માના આશ્રયે ચાલશે. તે કાંઈ બહારથી નહિ ચાલે.
પ્રશ્ન- હા, પણ બહારની પ્રભાવના વિના તો ન ચાલે ને?
સમાધાન - પ્રભાવના? શેની પ્રભાવના? બહારમાં કયાં પ્રભાવના છે? આત્માના આનંદનું ભાન થવું ને તેની વિશેષ દશા થવી તેનું નામ પ્રભાવના છે. બાકી તો બધી જૂઠી ધમાધમ છે. ભાઈ ! અહીં વીતરાગના માર્ગમાં તો બધા અર્થમાં ફેર છે, દુનિયા સાથે કયાંય મેળ ખાય તેમ નથી.
અહીં કહે છે–ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મળે જે અતસ્વભાવે અનુભવાતા અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પણ પરસ્વભાવરૂપે અનુભવાતા એવા જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com