SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨OO ] [ ૧૧ હતી. છતાં “હું ત્રિકાળી આનંદસ્વરૂપ ભગવાન છું—એવી દષ્ટિ, એવું જ્ઞાન અને રાગના અભાવરૂપ વૈરાગ્ય તેમને નિરંતર હતો. પણ આમાં કરવું શું? શું કરવું એની વાત તો કાંઈ આવતી નથી. અરે ભાઈ ! અનાદિકાળથી તે બધું ઊંધું જ કર્યા કર્યું છે. વ્રત પાળ્યાં, દાન કર્યા, ભક્તિ કરી, ભગવાનની પૂજા કરી; અરે ! સમોસરણમાં બિરાજમાન સાક્ષાત્ અહંત પરમાત્માની મણિરત્નના ફૂલથી અનંતવાર પૂજા કરી; પણ તેથી શું? એ તો બધો રાગ છે. એ રાગથી લાભ માન્યાનું તને મિથ્યાદર્શન થયું છે. સમકિતીને તો રાગના અભાવની-વૈરાગ્યની ભાવના નિરંતર હોય છે કેમકે તેને આત્માની રુચિ નિરંતર રહે છે. આત્માની રુચિ અને તેના આશ્રયે રાગનો અભાવ એ જ નિરંતર કરવા યોગ્ય કાર્ય છે. હવે કહે છે-“મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી.' જુઓ, જેને સમ્યગ્દર્શન થયું છે અર્થાત્ જેને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. ભાઈ ! અંદર એકલા જ્ઞાન અને આનંદનાં નિધાન ભર્યા છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું અખૂટ નિધાન છે. તે પરિપૂર્ણ પરમાત્મશક્તિના સામર્થ્યથી ભરેલું છે. આવા આત્માની જેને અંતરંગમાં દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ છે, અને તેને રાગ ગણવામાં આવ્યો નથી કેમકે તેને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. જો મિથ્યાત્વ સહિત રાગ હોય તો તે સમ્યગ્દષ્ટિ જ નથી. શું રાગમાં સચિય હોય અને સમ્યગ્દર્શન પણ હોય? અસંભવ. રાગની રુચિ અને સમ્યગ્દર્શન બે સાથે હોઈ શકતાં નથી. જેને પોસાણમાં રાગ છે તેને વીતરાગસ્વભાવ પોસાતો જ નથી. અને જેને વીતરાગસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા પોસાણો તેને રાગ પોસાય જ નહિ. તો શું સમકિતીને રાગ હોતો જ નથી? એમ કયાં વાત છે? સમકિતીને યથાસંભવ રાગ તો હોય છે પણ તેને રાગનું પોસાણ નથી. તે રાગને ઝેર સમાન જ માને છે. સમજાણું કાંઈ...? કોઈને વળી થાય કે શું આવી વ્યાખ્યા અને આવો માર્ગ હશે? હા, ભાઈ ! વીતરાગમાર્ગ આવો અલૌકિક છે. અને આવી જ તેની વ્યાખ્યા છે. આ તો દિવ્યધ્વનિમાં ભગવાને પટેલો ઢંઢેરો છે કે સમકિતીને મિથ્યાત્વ સહિત રાગ નહિ અને મિથ્યાત્વ સહિત રાગ છે તેને સમકિત નહિ. ગજબ વાત છે! મિથ્યાત્વ સહિત રાગને જ અહીં મુખ્યપણે રાગ ગણવામાં આવ્યો છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-“આવા (મિથ્યાષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. મતલબ કે અજ્ઞાનીને આ તફાવતની ખબર જ નથી. અજ્ઞાની તો બસ Please inform us of any errors on [email protected]
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy