________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ઉત્સાહથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈ તથા બ. શ્રી વજાભાઈએ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી તથા તપાસી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
વિશેષ અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશઃ લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા અને આ કાર્ય શરૂ કરવામાં જરા પણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
શ્રીમાન ડો. હુકમચંદજી ભારિલ્લ અનેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં તેમણે આ પ્રવચનો સાંભળી જઈને યથાયોગ્ય સૂચનો અને માર્ગદર્શન આપેલ છે તે બદલ તેમનો ખૂબ આભાર માનીએ છીએ.
આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ ઉદારતાથી આર્થિક સહ્યોગ આપેલ છે તે બદલ સમસ્ત દાતા ભાઈબહેનોનો આભાર માનવામાં આવે છે.
આ પ્રવચન ગ્રંથની વેચાણ કિંમત-પડતર કિંમત માંથી ૨૫% ઘટાડીને નક્કી કરેલ, તેમાં બીજા ૨૦% નું વળતર શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ તરફથી આપવામાં આવેલ છે. તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
આવકાર્ય:
આ પ્રકાશન અમારો પ્રથમ પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટીઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે.
તા. ૯-૩–૧૯૮૦ ફાગણ વદ ૭, ૨૦૩૬ રવિવાર, મુંબઈ.
ચીમનલાલ હિંમતલાલ શાહ
પ્રમુખ શ્રી કુંદકુંદકહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com