SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫ ભાગ-૧ ] રૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નથી કહેવામાં આવે છે. સમ્યકદર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાની પર્યાય જ ઢળે છે એમ નહીં. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતામાં એકના સેવનની જ' (ધ્રુવ આત્માની જ ) મુખ્યતા હોય છે. તે કાળે ત્રણે રૂપે પરિણમવું એને ગૌણ કરીને-વ્યવહાર કહીને અસત્યાર્થ કહે છે. ગાથા ૧૬ (સમયસાર) ના કળશ ૧૭ માં આવે છે કે –“આત્મા એક છે તો પણ વ્યવહારદષ્ટિથી જોઈએ તો ત્રણ સ્વભાવપણાને લીધે અનેકાકારરૂપ (મેચક) છે, કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર -એ ત્રણ ભાવે પરિણમે છે. જોયું? દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેપણે પરિણમે છે એ વ્યવહારકથન છે. આ જ કળશના ભાવાર્થમાં ખુલાસો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયે આત્મા એક છે. આ નયને પ્રધાન કરી કહે ત્યારે પર્યાયાર્થિકનય ગૌણ થયો, તેથી એકને ત્રણરૂપે (દર્શન, જ્ઞાન, ચારિત્ર એમ ત્રણરૂપે) પરિણમવો કહેવો તે સદ્દભૂત વ્યવહાર છે; રાગ છે તે અસદ્દભૂત વ્યવહાર છે. (આત્મા રાગરૂપે પરિણમે છે એમ કહેવું તે અસદ્દભૂત વ્યવહાર છે.) અહા! પરિણમનની ત્રણ નિર્મળ દશાને વ્યવહાર કહી, અસત્યાર્થ કહી તો દ્રવ્યને નિર્મળ પર્યાય સાથે લઈને દષ્ટિનો વિષય બનાવે એ તો ઘણું સ્થૂળ થઇ ગયું (એવી માન્યતા) વિપરીત અને ઊંધી દષ્ટિ છે. નિશ્ચયનયનો વિષય એક અંશ છે, પ્રમાણ નથી. જે “એકરૂપ” છે તે દ્રવ્યાર્થિકનયનો વિષય છે. એક વસ્તુને દ્રવ્યાર્થિકન-નિશ્ચયનયથી જ્યારે “એક” કહી ત્યારે બીજો નય હજુ બાકી રહી ગયો; કેમકે વસ્તુનો બીજો અંશ છે ને? તેને વિષય કરનાર વ્યવહારનય બાકી રહી ગયો, અન્યથા નય જ કહેવાય નહીં. ત્રણપણે પરિણમે છે એ પર્યાયઅંશ વ્યવહારનયનો વિષય છે. આ વ્યવહારનયના વિષયને ગૌણ કરી, તે નથી, એમ અસત્યાર્થ કહેલ છે. વળી દ્રવ્યથી સાથે પર્યાય લેવી એ પણ વ્યવહાર છે. બે થયા માટે વ્યવહાર છે. બીજી રીતે કહીએ તો પર્યાય સભૂત વ્યવહાર છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય નિશ્ચય છે; બે મળીને પ્રમાણનો વિષય થઈ ગયો અને પ્રમાણ પોતે વ્યવહારનયનો વિષય છે, એમ પંચાધ્યાયીમાં લીધું છે. હવે અહીં કહે છે કે એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે-એટલે સિદ્ધ-પૂર્ણદશા પ્રાપ્ત થઈ ગઈ છે એને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે. પ્રતિછંદ એટલે પડઘો. રાણપુરમાં રાજાનો નદીના કાંઠે પથ્થરનો ઊંચો મહેલ છે. તેમાં (એક જગાથી) અવાજ કરે અને ત્યાંથી અવાજ ઊઠે. અવાજ પાછો પડે. આને પડઘો કહેવાય. તેમ અહીં “હે સિદ્ધ ?” એમ બોલે ત્યાં અંદર સામો પડઘો પણ એવો પડે કે હે સિદ્ધ!” Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008282
Book TitlePravachana Ratnakar 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy