________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા-૧
अथ सूत्रावतार:
वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं ।।१।। હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છે:
ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી-ભાષિત સમયપ્રાભૃત અહો ! ૧. ગાથાર્થ:- આચાર્ય કહે છે: હું [ ધ્રુવમ] ધ્રુવ, [ અવનીન્] અચળ અને [અનૌપચાં ] અનુપમ-એ ત્રણ વિશેષણોથી યુક્ત [ સિં] ગતિને [પ્રાણાન] પ્રાપ્ત થયેલ એવા [ સર્વસિદ્ધીન] સર્વ સિદ્ધોને [ વંત્વિા ] નમસ્કાર કરી, [ષદો] અહો ! [મૃતવનિમણિતમ્] શ્રુતકેવળીઓએ કહેલા [ રૂવં] આ [સમયUામૃતમ્] સમયસાર નામના પ્રાભૃતને [ વક્ષ્યામિ ] કહીશ.
ટીકા:- અહીં (સંસ્કૃત ટીકામાં) “કથ' શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ- એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના સ્થાને છે, - જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પરનિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; “ધ્રુવ” વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com