________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
[સમયસાર પ્રવચન
બહારમાં–સ્ત્રી, પુત્ર કે આબરૂમાં-કયાંય સુખ નથી. એ બધાં તો દુઃખનાં બાહ્ય નિમિત્તો છે. બનારસીદાસે સમયસારનાટકમાં કહ્યું છેઃ
66
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મા૨ગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ.
99
આનંદનો નાથ ચૈતન્યપ્રભુ જે આત્મા તેની સન્મુખ થતાં જે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તે રત્નચિંતામણિ છે, એ આનંદરસનો કૂવો છે, મોક્ષનો ઉપાય અને પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ મોક્ષ છે. અહાહા...! અનુભવ મોક્ષસ્વરૂપ છે. દ્રવ્ય તો ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો અંશ જે પર્યાયમાં દ્રવ્યના આલંબનથી પ્રગટે એ પણ મુક્તસ્વરૂપ છે. વળી પર્યાયમાં દ્રવ્યની જે દષ્ટિ થાય છે દષ્ટિમાં પણ દ્રવ્ય મુક્તસ્વરૂપ જ ભાસે છે.
હવે કહે છે કે આ સમ્યસ્વભાવનો જગત અનુભવ કરો કે ‘યત્ર’ જ્યાં ‘અમી વન્દ્વધૃષ્ટમાવાય:' આ બદ્ધસૃષ્ટાદિ ભાવો ‘yત્ય રુટ ઉપર તરન્ત: અપિ' સ્પષ્ટપણે તે સ્વભાવના ઉપર તરે છે. આ બદ્ધસૃષ્ટાદિ પાંચે ભાવો સ્પષ્ટપણે ત્રિકાળ ધ્રુવ, ધ્રુવ પૂર્ણજ્ઞાયકભાવની ઉ૫૨ ઉપ૨ તરે છે તોપણ ‘પ્રતિષ્ઠાન્ ન હિ વિવધતિ' તેમાં પ્રતિષ્ઠા પામતા નથી, અંદર પ્રવેશ પામતા નથી. કર્મના સંબંધરૂપ બંધભાવ, અનેરી અનેરી ગતિરૂપ ભાવ, જ્ઞાનની હીનાધિક દશા કે રાગાદિ ભાવો-એ પર્યાયભાવો જ્ઞાયકભાવની ઉપ૨ ઉપર રહે છે, અંદર પ્રવેશ પામતા નથી. જેમ પાણીના દળની ઉપર તેલ નાખવામાં આવે તો તેલ ઉપર ઉપર જ રહે છે, અંદર પ્રવેશ પામતું નથી, તેલની ચીકાશ અંદર જતી નથી તેવી રીતે અનાદિ-અનંત સહજ વિજ્ઞાનઘનસ્વભાવમાં દયાદાન-પૂજા-ભક્તિનો રાગ તો પ્રવેશ પામતો નથી પણ એ રાગને જાણનારી જ્ઞાનની ક્ષયોપશમરૂપ અનિયત અવસ્થા પણ અંદરમાં પ્રવેશ પામતી નથી. કારણ કે દ્રવ્યસ્વભાવ તો નિત્ય છે, એકરૂપ છે અને આ ભાવો અનિત્ય અને અનેકરૂપ છે. આત્મતત્ત્વ નિત્ય, ધ્રુવ, ચિદાનંદઘનસ્વભાવી, ચૈતન્યદળ છે. એમાં અગિયાર અંગનો ક્ષયોપશમ હો કે અનુભવની પર્યાય હો, એ સર્વ ઉપ૨ ઉપ૨ રહે છે, અંદર પ્રવેશ પામતી નથી. ભાઈ! આ દ્રવ્યસ્વભાવમાં પર્યાયની હીનાધિકતા પ્રવેશ ન પામે તો સ્ત્રી, પુત્રાદિ કેમ પામે ? દષ્ટિમાં આવા સ્વભાવનો મહિમા આવવો જોઈએ. પોતાનો મહિમા આવ્યા વિના પર્યાયમાં જે રાગનો મહિમા આવે છે તે આત્મજીવનનો ઘાત કરે છે. એ જ મિથ્યાત્વ છે.
અહીં પ્રશ્ન થાય છે કે-રાગની પર્યાય વ્યય પામીને અંદર ધ્રુવમાં ભળી જાય છે ને ?
સમાધાનઃ- ના, બિલકુલ ભળતી નથી. રાગનો નાશ થાય છે ત્યારે તે અંદર પારિણામિભાવરૂપ થઈ જાય છે. આત્મામાં જે વર્તમાન રાગ થાય તે બીજા સમયે નાશ
Please inform us of any errors on
[email protected]