________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮
[ સમયસાર પ્રવચન છે. છદ્મસ્થને કેવળજ્ઞાન નથી, પણ શુદ્ધનય પરોક્ષપણે એમ બતાવે છે કે આ વર્તમાન વર્તતું જ્ઞાન પૂર્ણ થશે એ કેવળજ્ઞાન છે. શ્રીમદે પણ લીધું છે ને કે-શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે. ઇચ્છા–ભાવના એની જ છે એ અપેક્ષાએ કેવળજ્ઞાન થયું છે એમ કહ્યું. ઉપરોક્ત ન્યાયે તે પરોક્ષ છે. આવો સર્વજ્ઞનો (સ્યાદ્વાદ) માર્ગ છે.
મતિ-શ્રુતજ્ઞાન એ સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય છે. મતિ-શ્રત એ સાધક છે અને કેવળજ્ઞાન સાધ્ય છે. અષ્ટપાહુડમાં ચારિત્રપ્રાભૃતની ચોથી ગાથામાં તો મોક્ષમાર્ગની-જ્ઞાન-દર્શન-ચારિત્રની પર્યાયને “અક્ષય-અમેય' કહી છે. સમયસારમાં મતિ-શ્રુતજ્ઞાન એ “ઉપાય છે અને કેવળજ્ઞાન-મોક્ષ એ “ઉપય' છે. એમ કહ્યું છે. ઉપાયના” જ્ઞાનમાં “ઉપય” ની પ્રતીતિ આવી જાય છે. નવતત્ત્વની પ્રતીતિમાં મોક્ષની પ્રતીતિ આવે છે કે નહીં ? નવતત્ત્વની અભેદ શ્રદ્ધામાં મોક્ષની શ્રદ્ધા આવી જાય છે. તત્ત્વાર્થસૂત્રમાં જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ-એકવચનમાં લીધું છે. જેવું શક્તિમાં જ્ઞાન પૂર્ણ છે એવી આ મતિ-શ્રુત પર્યાય પૂર્ણ થઈ જશે એવી પરોક્ષ પ્રતીતિ શ્રુતજ્ઞાનમાં આવે છે.
હવે કહે છે જ્યાં સુધી આ નયને (શુદ્ધનયને) જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન-શ્રદ્ધાન થતું નથી. શુદ્ધનયનો વિષય અખંડ, એક પૂર્ણ શ્રદ્ધા-જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા આત્મામાં ઝૂકીને પર્યાય જ્યાંસુધી તેને જાણે નહીં ત્યાંસુધી તેનાં શ્રદ્ધા જ્ઞાન થતાં નથી. તેથી શ્રી ગુરુએ આ શુદ્ધનયને પ્રગટ કરી ઉપદેશ કર્યો છે કે બદ્ધ-સ્પષ્ટ આદિ પાંચ ભાવોથી રહિત પૂર્ણજ્ઞાનઘન આત્માને જાણી (અંતર્મુખ થઈને જાણી) શ્રદ્ધાન કરવું, પર્યાયબુદ્ધિ ન રહેવું. સંતો પ્રસિદ્ધ કરીને કહે છે કે પૂર્ણજ્ઞાન-ઘનસ્વરૂપ આત્માની દષ્ટિ-શ્રદ્ધા કરો. આ શુદ્ધનય અખંડ, એક, ત્રિકાળી, ધ્રુવ, પરમસ્વભાવ જ્ઞાયકભાવને દેખાડે છે. તેની અંતર્મુખ થઈ શ્રદ્ધા કરો.
અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે-એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને વિના દેખે શ્રદ્ધાન કરવું તે જૂઠું શ્રદ્ધાન છે. તેનો ઉત્તર
દેખેલાનું જ શ્રદ્ધાન કરવું એ તો નાસ્તિક મત છે. જિનમતમાં-સર્વજ્ઞના શાસ્ત્રમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પ્રમાણ માનવામાં આવ્યાં છે. તેમાં આગમપ્રમાણ પરોક્ષ છે. તેનો ભેદ શુદ્ધનય છે, પ્રમાણથી અનુમાન-જ્ઞાનમાં પરિપૂર્ણ ધ્રુવ આત્માને જાણી શુદ્ધનયની દષ્ટિથી શુદ્ધ આત્માનું શ્રદ્ધાન કરવું. ભાવશ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે એમાં આત્માના અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણ પ્રત્યક્ષ જણાતા નથી. આ રીતે જ્ઞાનની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com