________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
ભાગ-૧ ]
૧૮૭
(માલિની) चिरमिति नवतत्त्वच्छन्नमुन्नोयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरुपं प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।।
જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.
અહીં, એ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ- [ તિ] આ રીતે [ વિરમ્ નવ-તત્ત્વછન્નમ્ રૂદ્રમ્ માત્મળ્યોતિ:] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાયેલી આ આત્મજ્યોતિને, [વમીનીનાપે નિમ
નમ્ રૂવ] જેમ વર્ષોના સમૂહમાં છૂપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [ સન્નીયમાન ] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [૪થ ] માટે હવે હું ભવ્ય જીવો! [ સતતવિવિ$] હંમેશા આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [gv] એકરૂપ [ દશ્યતાન] દેખો. [પ્રતિપમ ઉદ્યોતમાનમ્] આ (જ્યોતિ), પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાય એકરૂપ ચિચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થ:- આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો- એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૮.
ટીકા:- હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે ય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણે બે પ્રકારે છે–પરોક્ષ અને પ્રત્યક્ષ. 'ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. ( પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ
૧. ઉપાત્ત મેળવેલા. (ઈદ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) ૨. અનુપાત્ત=અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com