________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા-૮
तर्हि परमार्थ एवैका वक्तव्य इति चेत्
जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदूं। तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।८।। यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्।
तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।।८।। હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮. ગાથાર્થ- [ યથા] જેમ [શનાર્થ:] અનાર્ય (સ્વેચ્છ) જનને [ સનાર્યમાષi વિના તુ] અનાર્યભાષા વિના [ પ્રાદયિતુન] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [ન પિ શ":] કોઈ સમર્થ નથી [ તથા] તેમ [ વ્યવહાર વિના વ્યવહાર વિના [ પરમાર્થોપવેશનમ્ ] પરમાર્થનો ઉપદેશ કરવા [શવમ્ ] કોઈ સમર્થ નથી.
ટીકાઃ- જેમ કોઈ સ્વેચ્છને કોઈ બ્રાહ્મણ “સ્વસ્તિ” એવો શબ્દ કહે છે ત્યારે તે પ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને સ્વેચ્છની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ સ્વેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે “સ્વસ્તિ” શબ્દનો અર્થ “તારું અવિનાશી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com