________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
જીવ-અજીવ અધિકાર
ગાથા-૭
दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत्
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं। ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो।।७।।
व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम्।
नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायक: शुद्धः।।७।। હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે:
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહાર-કથને જ્ઞાનીને;
ચારિત્ર નહિ, દર્શન નહિ, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭. ગાથાર્થ - [જ્ઞાનિ:] જ્ઞાનીને [ચરિત્રે રને જ્ઞાનમ] ચારિત્ર, દર્શન, જ્ઞાનએ ત્રણ ભાવ [ વ્યવહારેT] વ્યવહારથી [૩પરિશ્યતે] કહેવામાં આવે છે; નિશ્ચયથી [જ્ઞાન પિ ન] જ્ઞાન પણ નથી, [વરિત્ર ન] ચારિત્ર પણ નથી અને [વર્શન ન] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ જ્ઞાય: શુદ્ધ:] શુદ્ધ જ્ઞાયક જ છે.
ટીકા- આ જ્ઞાયક આત્માને બંધપર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન, જ્ઞાન, ચારિત્ર પણ વિધમાન નથી; કારણ કે અનંત ધર્મોવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને, ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે, ઉપદેશ કરતા આચાર્યોનો-જોકે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તોપણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com