________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| પ્રકાશકીય નિવેદન
અધ્યાત્મનિધિનાં સ્વામી પરમકૃપાળુ પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો મહાન ઉપકાર આપણા ઉપર છે કે તેઓશ્રીનાં પાવન પ્રતાપે આ યુગમાં અધ્યાત્મતત્વનાં શ્રવણની તેમજ અભ્યાસની રુચી જાગ્રત થઈ છે.
નિયમસારશાસ્ત્ર પરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોનું આ પ્રથમ પુસ્તક શ્રી પ્રવચન રત્નચિંતામણી ભાગ-૧ પ્રકાશિત કરતાં અમોને અત્યંત આનંદનો અનુભવ થાય છે.
જેમ નિયમસારશાસ્ત્રનાં મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારીદેવ પણ મહા પવિત્ર નિગ્રંથ મુનિ હતા. ટીકાનાં કાવ્યોમાં તેઓશ્રીએ કરેલા અનેક અલંકારોમાં તેમની ઉંડી આધ્યાત્મિકતાની તેમજ તેમનાં વિશુધ્ધ બ્રહ્મચર્ય તેજની પ્રભા જળકી રહી છે.
શ્રી કુંદકુંદાચાર્ય રચિત શાસ્ત્રોમાં શ્રી સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય, જેટલા પ્રસિદ્ધિમાં છે તેટલું આ શ્રી નિયમસારશાસ્ત્ર પ્રસિદ્ધિમાં ન હતું. પરંતુ મુમુક્ષુઓનાં સદભાગ્યે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રતાપે તે વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યું.
પરમપૂજ્ય ગુરુદેવશ્રીએ આજથી લગભગ ૪૮ વરસ પહેલાં શ્રી નિયમસારશાસ્ત્ર પર પ્રવચનો કર્યા. તે વખતે તેઓશ્રીની ઉંડી દષ્ટિએ તેમાંનાં અતિગંભીર ભાવોને પારખી લીધા.
શ્રી કુંદકુંદ કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ શરૂથી જ નક્કી કર્યા મુજબ આચાર્યશ્રી કુંદકુંદદેવનાં પાંચેય પરમાગમો પર થયેલા પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોને છપાવવાનો નિર્ણય કરેલ છે. તે મુજબ શ્રી સમયસારશાસ્ત્ર પરના પ્રવચનોના ૧૧ ભાગ શ્રી પ્રવચન રત્નાકરશાસ્ત્ર રૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે. જેમાંનાં ત્રણ ભાગ તો પૂજ્ય ગુરુદેવશ્રીની હાજરી માં પ્રકાશિત થયા હતા.
પ્રસ્તુત પુસ્તક જેટલું વહેલું છપાવવું જોઈતું હતું તેટલું વહેલું અમે પ્રકાશિત કરી શક્યા નથી તેનું દુ:ખ છે. પણ હવે એ તરફનો પુરુષાર્થ ઉપડયો છે અને શ્રીપ્રવચન રત્નચિંતામણી ભાગ-ર પણ તૈયાર થઈ રહેલ છે.
પૂજ્ય ગુરુદેવશ્રીનાં દેહવિલય પછી સમાજમાં જે એક અવકાશ (vacum) છવાઈ ગયો જેના કારણે દરેક કાર્યમાં વિલંબ થતો ગયો. એક મહાપુરુષનાં નિમિત્તે કેટલું બધું કામ થઈ ગયું! હવે તે મહાપુરુષની અનઉપસ્થિતિમાં હજુ પણ તેમને સાક્ષાત્ સાંભળેલ વક્તા અને શ્રોતા હયાત છે. ત્યાં સુધીમાં જેટલું ઝડપથી થઈ શકે તેટલું કામ કરી લેવા જેવું છે.
આ પુસ્તક પ્રકાશનમાં અનેક મુમુક્ષુઓ તરફથી ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહ્યોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમજ ઉતારેલા પ્રવચનો તપાસી આપેલ છે, તેઓના અમો આભારી છીએ. ભાઈશ્રી રમણભાઈ એમ. શાહુ ( રખીયાલ) એ ખુબજ પરિશ્રમ લઈને નિસ્પૃહપણે આ શાસ્ત્રનું લખાણ તૈયાર કરી આપેલ છે. જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શક્યું છે તેઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. આ કાર્યમાં સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહ એ (દહેગામવાળા) સંકલન, લેખન આદિ અનેક પ્રકારે ઉત્સાહપૂર્વક તન, મન અને ધનથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com