SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ સમાધાન- પરમાર્થે મોક્ષાર્થી (કહેવાય) નહીં. એનો (યથાર્થ) નિર્ણય અને અનુભવ કરવા જ (આત્મ) સન્મુખ થાય તો (તેને) સમકિત-સન્મુખ મિથ્યાષ્ટિ કહેવામાં આવે છે. જિજ્ઞાસાઃ- તેને (પણ) મોક્ષાર્થી ન કહેવાય ? સમાધાન નહીં અનુભવનો (-આનંદનો) અર્થ (-પ્રયોજન) આવ્યો (સિદ્ધ થયો) નથી ને...! જે મોક્ષ (અર્થાત્ પ્રયોજન પૂર્ણાનંદ છે એનો નમૂનો ત્યાં આવ્યો નહીં). એનો અર્થ કાલે બતાવ્યો હતો ને ? (જુઓ, આ જ કળશમાં છે કળશ-૧૮૫ઃ “સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે.” એના દ્વારા એ સિદ્ધાંત એટલે કે વસ્તુ (સ્થિતિ) છે કે: મોક્ષાર્થી એટલે પૂર્ણ અતીન્દ્રિય આનંદનું જેને પ્રયોજન છે–અન્ય ન નથી, અને જેનું પ્રયોજન છે તેનો નમનો આવી ગયો છે. સમ્યગ્દષ્ટિ થયો છે. હા! એવો મોક્ષાર્થી-યોગી અર્થાત્ સ્વસ્વરૂપમાં જેનો યોગ-જોડાણ થઈ ગયું છે, તેનું ધ્રુવ ઉપરનું ધ્યેય એક સમય (માત્ર) પણ ખસતું નથી. આહા.. હા ! સમ્યગ્દષ્ટિનું ધ્યેય “ધ્રુવ છે. ચાહે તો ગમે તે વિકલ્પમાં હોય, કે ધંધા-વેપારમાં દેખાય, પણ પોતાનું ધ્યેય જે “ધ્રુવ' છે ત્યાંથી તેની નજર (દષ્ટિ) ખસતી નથી. કારણ કે તે મોક્ષાર્થી છે અને તેને પ્રયોજન આનંદનું છે. આહા... હા! એવા મોક્ષાર્થીઓ આ સિદ્ધાંતનું સેવન કરો. સિદ્ધાંત અર્થાત્ વસ્તુ. એટલે શુદ્ધાત્માનો આશ્રય કરો. એનું વિશેષ આવશે. * * * * પ્રવચનઃ તા. ૯-૨-૧૯૭૮ નિયમસાર' ગાથા –૫૦ નો શ્લોક [ –“સમયસાર' મોક્ષઅધિકારનો શ્લોક-૧૮૫ ] છે. જેમના (ચિત્તનું” અર્થાત્ ) જ્ઞાનનું (“ચરિત્ર” એટલે) આચરણ “ઉદાત્ત” છે. ત્યાંથી (આ વિષય) શરૂ કર્યો છે. એનો અર્થ શું? કે: આત્મા આનંદસ્વરૂપ; એનો આશ્રય જેને છે તેને જ્ઞાનનું આચરણ છે, એટલે કે આત્માનું આચરણ છે. અહીં “જ્ઞાન” શબ્દથી “આત્મા” લેવો છે. આહા.... હા! સમ્યગ્દષ્ટિને સ્વદ્રવ્યનો આશ્રય હોય છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ના હોય ત્યાં સુધી (તેને) રાગ હોય છે; વ્યવહાર હોય છે, તો પણ તેને આશ્રય કરવા લાયક તો નિજાત્મા છે. તેનું કર્તવ્ય તો જ્ઞાનનું આચરણ (અર્થાત્ ) આત્માનું આચરણ કરવું તે છે. પહેલેથી જ એમ લીધું છે ને. જેમના ચિત્ત અર્થાત્ જ્ઞાનનું ચરિત્ર અર્થાત્ આચરણ ઉદાર (ઉદાત્ત) છે. આહા. હા! સ્વચૈતન્ય ભગવાન, સહજાન્મસ્વરૂપનું આચરણ જેનું ઉદાર છે; રાગનું આચરણ હોય તે કંઈ ઉદાર, (એટલે કે) મૂળ ચીજ નથી. એ વ્યવહાર તો છઠ્ઠી ગુણસ્થાન સુધી આવે છે; પણ એ રાગથી ભિન્ન થઈને, જેના આત્માનું-શુદ્ધ ચૈતન્ય એવા જ્ઞાનનું-ચરિત્ર અર્થાત્ આચરણ ઉદાર છે, ઉચ્ચ છે, ઉજ્જવળ છે. અર્થાત્ આત્મા જ્ઞાનાનંદ શુદ્ધસ્વરૂપ પ્રભુ છે; એનું જેને શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ ઊંચું છે, ઉદાર છે ( એવા) મોક્ષાર્થી છે; એમ લીધું છે. આહા.. હા! આ તો પંચમ આરાના મુનિ કહે છે! આ તો હજાર વર્ષ પહેલાંના અમૃતચંદ્રાચાર્ય કહે છે! અને પંચમઆરાના ગૃહસ્થોને-જીવોને કહે છે! કે: ધર્મીને (અર્થાત્ મોક્ષાર્થીને) તો કરવા લાયક હોય તો ‘આ’ છે ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy