SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ પવિત્ર પર્યાય જે મોક્ષના માર્ગની તેને પણ, પરદ્રવ્ય કહ્યું. (એટલે કે.) જે ત્રિકાળીભાવ (સહજ ) જ્ઞાનદર્શન- ચારિત્ર આદિ છે તે અંતતત્ત્વસ્વરૂપ, અંતઃભાવસ્વરૂપ સ્વદ્રવ્ય છે; તો પેલા (પૂર્વોક્ત સર્વ ભાવો) પરદ્રવ્ય છે, એમ કહ્યું હતું અને પછી કહ્યું કેઃ એ અંત:તત્ત્વ જે અંત:ભાવસ્વરૂપ સ્વદ્રવ્ય છે એનો આધાર, એ કારણસમયસાર જે એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. તે (સ્વદ્રવ્યરૂપ ભાવનો આધારરૂપ) ભાવ હતો. તત્ત્વાર્થસૂત્ર' નું એ (સૂત્ર) છે: “દ્રવ્યાશ્રયા નિTI III:”- દ્રવ્યના આશ્રયે ગુણ છે, ગુણના આશ્રયે ગુણ નથી. “નિબT TT:' કેમ કહ્યું? કેઃ ગુણના આશ્રયે ગુણ નથી, દ્રવ્યના આશ્રયે ગુણ છે. સંવર અધિકાર' માં પોતાના નિર્મળ પરિણામથી (આત્મા') ખ્યાલમાં આવ્યો તો ત્યાં (તેવા પરિણામને) “આધાર' કહ્યો અને અહીંયાં જે ભાવ, ત્રિકાળી સ્વભાવભાવ તેને આધેય' કહીને પરમ (પારિણામિકભાવ જેનું લક્ષણ છે એવા) કારણસમયસાર પ્રભુને ‘આધાર’ કહ્યો. સમજાણું કાંઈ ? એક આ “અતભાવ” ની વાત મગજમાં આવી! સાંભળો! અહીંયાં જે અંતતત્ત્વ (રૂપ) ગુણ કહ્યા અને આધેય’ કહ્યું. વસ્તુને ‘આધાર’ કહી. તેમ છતાં એ દ્રવ્યને અને ગુણને અતભાવરૂપ અન્યત્વ છે. ગઈ કાલે એક વાત, “પ્રવચનસાર” ગાથા-૧૦૭, સજ્જાઈ (સ્વાધ્યાય) માં આવી હતી. ત્યાં એમ કહ્યું: “સત્ દ્રવ્ય” , “સત્ ગુણ' , અને સત્ પર્યાય' , એ “સ” નો વિસ્તાર છે. હવે ગાથા-૧O૮ માં આ આવ્યું કે: દ્રવ્ય અને ગુણ વચ્ચે, જે ચાર અભાવ-પ્રાગભાવ, પ્રäસાભાવ, અન્યોન્યાભાવ, અત્યન્તાભાવ (–તે અહીં) લેવા નહીં; પણ દ્રવ્ય અને ગુણ વચ્ચે અતભાવરૂપ અન્યત્વ છે. (એટલે) દ્રવ્યમાં ગુણ નથી અને ગુણમાં દ્રવ્ય નથી. અહીંયાં જે કહ્યું કે: ગુણ આધેય છે અને દ્રવ્ય આધાર છે. છતાં બે વચ્ચે ફેર છે. શું? કેઃ દ્રવ્ય અને ગુણ અતભાવરૂપે ગણવામાં આવ્યાં છે. જે ભાવ દ્રવ્યનો છે તે ભાવ ગુણનો નથી. તેમ જ જે ભાવ ગુણનો છેતે ભાવ દ્રવ્યનો નથી. અરે! જે ભાવ પર્યાયનો છે તે દ્રવ્યનો નથી અને જે ભાવ દ્રવ્યનો છે તે પર્યાયનો નથી. માટે પર્યાય અને દ્રવ્યની વચ્ચે અતભાવરૂપ અન્યત્વ છે; અભાવરૂપ અન્યત્વ નહીં. આહા.... હા! સમજાણું કાંઈ ? થોડો સૂક્ષ્મ (વિષય) છે, ભાઈ ! આ તો વીતરાગમાર્ગ, બાપુ! ઝીણો બહુ. આહા... હા! મૂળ વસ્તુ (એવી છે!!) ત્યાં એવું કહ્યું: ગુણ અને દ્રવ્યમાં પ્રદેશભેદ નથી. ત્યાં પ્રદેશભેદને પૃથક કહે છે. પૃથક કહે છે ને.? અને એમાં આ પ્રદેશભેદ નહીં. પણ દ્રવ્ય તે ગુણ નથી અને ગુણ તે દ્રવ્ય નથી, એ અપેક્ષાથી બંને વચ્ચે અતભાવરૂપ અન્યત્વ ગણવામાં આવ્યું છે. આહા... હા ! આધારઆધેયમાં પણ આ વાત ) છે. ત્યાં “સંવર અધિકાર' માં જે નિર્મળઉપયોગ (આત્માને) પકડવાનો થયો, (અર્થાત) સ્વસંવેદનની દશા થઈ, તેને આધાર કહીને દ્રવ્યને આધેય કહ્યું છતાં “આધાર-આધેય” માં અતભાવ છે. એમ અહીંયાં અંત:તત્ત્વરૂપભાવ” “આધેય’ અને પરમપરિણામિકભાવ જેનું લક્ષણ છે એવો કારણસમયસાર “આધાર' અર્થાત્ “ગુણ” આધેય અને દ્રવ્ય” આધાર છે; છતાં બે વચ્ચે અતભાવ છે, બંને વચ્ચે અતભાવરૂપ અન્યત્વ છે. આવી વાત છે, બાપુ! સમજાય છે કાંઈ ? “પ્રવચનસાર” ગાથા-૧૦૮, એ “જ્ઞય અધિકાર” છે ને..! “જ્ઞય” નું સ્વરૂપગાથા-૯૩થી શરૂ કર્યું. તો એ જ્ઞયનું સ્વરૂપ એમ બતાવવું છે કેઃ જે ભાવ છે અને જે દ્રવ્ય છે એટલે જે ગુણ છે અને જે દ્રવ્ય છે એ વચ્ચે, જ્ઞયનો એવો સ્વભાવ છે કે, અતભાવ છે. આહા... હા ! ઝીણી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy