SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪ – પ્રવચન નવનીત: ભાગ-૨ એ વિના તને સમ્યગ્દર્શન થાય નહીં. એ કારણે, એ (વિભાવ ગુણપર્યાયો) પરસ્વભાવો છે, માટે ય છે. –એમ કહે છે. અહીંયાં પાઠમાં “હેય” પાછળ છે: “પુવ્યવસયનમાવા પરબ્ધ પદાવતિ દે” પણ ટીકામાં “હેય” પહેલાં લીધું છે અને પછી કારણ બતાવ્યું છે. મૂળપાઠમાં પહેલાં પરદ્રવ્ય, પછી પરસ્વભાવ અને પછી હુંય લીધું છે. પણ ટીકામાં ફેરવ્યું-પહેલાં હેય કહ્યું અને પછી એનું કારણ બતાવતાં કહ્યું કે, “તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પદ્રવ્ય છે,” એમ કહ્યું. સમજાય છે કાંઈ ? એક એક શબ્દની કિંમત છે. વ્યાકરણમાં એક અક્ષર-કાના–માત્રની પણ કિંમત છે. “શા કારણથી (હેય છે)? તેઓ પરસ્વભાવો છે,” માટે હેય છે. - એમ કહ્યું. અહીં (સંપ્રદાયમાં) તો શુભભાવને હેય માનવામાં પરસેવો ઊતરે છે. શુભભાવ કરતાં કરતાં શબ્દ નહીં થાય? જ્યારે શુદ્ધ થાય છે ત્યારે છેલ્લો (ભાવ) શુભભાવ હોય છે. ત્યાં શુભથી ખસીને શુદ્ધ થાય છે. છેલ્લો (ભાવ) અશુભ હોય અને ત્યાંથી ખસીને શુદ્ધ થાય તેમ તો બનતું નથી. છેલ્લે શુભભાવ હોય છે અને ત્યાંથી હુઠતાં શુદ્ધભાવ થાય છે, તેથી એમાં શો વાંધો છે? (ભાઈ !) એમ નથી! સમજાણું કાંઈ ? તેથી અહીં પહેલાં હેય કહીએ, કારણ કહ્યું કે તેઓ પરસ્વભાવો છે. પ્રભુ! એ પરસ્વભાવનો આશ્રય કરવા જશે તો તને રાગ થશે, વિકલ્પ થશે, કારણ કે તે પુગલ છે. ભાઈ ! આ તો નિસ્પૃહ માણસ હોય, જેને આગ્રહ ન હોય તેની વાતો છે પ્રભુ ! આ તો સત્ય જ આવું છે! ત્યાં ભગવાને કહ્યું, તે સંતોએ-મુનિઓએ આવું વર્ણન કર્યું. સંતો કહે છે તેવી જ ચીજ છે. અનુભવમાં આવે તો એને ખ્યાલમાં આવે કે, આ ચીજ જ એવી છે! આહા... હા ! સમજાય છે કાંઈ ? “હેય” કેમ કહ્યું? નિશ્ચયનયના બળે તેઓ ય છે. કારણ કે તેઓ પરસ્વભાવો છે. પછી કહે છે કેઃ “અને તેથી જ પરદ્રવ્ય છે.” આહા... હા! ગજબ વાત છે ને.! ક્ષાયિક આદિ ચાર ભાવોને પરસ્વભાવ કહ્યા, પણ કેમ ? પહેલાં કીધું કે શા કારણે ? કે તેઓ પરસ્વભાવો છે, માટે પરભાવ છે અને માટે પરદ્રવ્ય છે ! આહા. હા ! ક્ષાયિકભાવની પર્યાય, પારદ્રવ્ય છે! સાંભળવુંય કઠણ પડે. માર્ગ તો એવો છે, ભાઈ ! અનંત તીર્થકરો, અનંત કેવળીઓ અનંતકાળથી આમ કહેતા આવ્યા છે ! એ કોઈ નવી ચીજ નથી ! આહા. હા! નિશ્ચયનયના બળથી, સ્વભાવના આશ્રયના બળથી, એનું (વિભાવગુણપર્યાયોનું) લક્ષ છૂટી જાય છે-એનું લક્ષ રહેતું નથી એ માટે (તેઓ) ય છે. “હેય” કેમ છે? કે તેઓ પરસ્વભાવો હોવાથી ય છે અને પરસ્વભાવો છે માટે તે પરદ્રવ્ય છે. આહા.. હા! પહેલાં ‘ય’ કહ્યું (પછી કહ્યું કે, શા કારણથી ? કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પરદ્રવ્ય છે.” આહા... હા! આ વાત તો જુઓ! એ દિગંબર સંતો સિવાય આ વાત હિંદુસ્તાનમાં કયાંય મળે એમ નથી. દિગંબર સંતો એટલે એ તો કેવળજ્ઞાનીના કેડાયતો. ત્રીજે ભવે કેવળજ્ઞાન લેવાના. ભલે પંચમઆરાના મુનિ હોય. અહીંથી સ્વર્ગમાં જશે અને (ત્યાર પછી) મુનષ્ટ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે, એવી તાકાત! આહા.. હા! એક વાર સાંભળ તો ખરો નાથ ! તારી ચીજ ત્રિકાળી આનંદનો નાથ, અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ!; એની દષ્ટિના બળે, નિશ્ચયનયના બળે, તેઓ ( વિભાવગુણપર્યાયો) હેય છે. “શા કારણથી? કારણ કે તેઓ પરસ્વભાવો છે, અને તેથી જ પદ્રવ્ય છે.” તે સ્વદ્રવ્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy