SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી નિયમસાર ગાથા ૫૦ - ૫૩ તો અંતરની ચીજ છે. તને વાદવિવાદ નહીં સમજાય. વાદવિવાદ સ્વસમયો સાથે કરીશ નહીં અને પરસમયો સાથે કરીશ નહીં. કેમ ? એ (વાદવિવાદની ) મનાઈ છે. ત્રિકાળી દ્રવ્ય તે જ પરમપરિણામિક પ્રભુ, પૂર્ણાનંદ અને પૂર્ણજ્ઞાન, પૂર્ણશક્તિનો ભંડાર; જેના ઉપર નજર કરવાથી, અનુભવ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આહા... હા ! એ ચીજનો તો ખ્યાલ નથી અને બહારની ચીજમાં આમ કરો ને આમ કરો ને આ કરો. ભાઈ ! ભગવંત આ વાત તો એવી છે ! તારી ચીજ એવી છે કે એક સમયની જેટલી પર્યાય છે-કેવળજ્ઞાન, કેવળદર્શન અને કરણલબ્ધિ એ પણ (પર્યાયની જાત છે, તારી જાત નથી). તેથી ( ત્યાં) (કરણલબ્ધિથી) માંડીને કેવળજ્ઞાન (સુધી) ની બધી પર્યાયો હેય છે, ( એમ કહ્યું છે, પણ કોને? “હેય” નું જ્ઞાન કોને યથાર્થ થાય છે? એમ કહે છે. આ તો ગંભીર (વિષય) છે, ભગવાન! આ દિગંબર સંતોની વાણી કોઈ સાધારણ નથી. આ તો કેવળજ્ઞાનના કેડાયતોના (અંતર) અનુભવમાંથી આ વાત આવી છે. આહા.... હા ! આ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણ (ના સ્વરૂપનું કથન છે ).” પર્યાયનો ત્યાગ અને વસ્તુનું ગ્રહણ. આહા... હા! પરના ત્યાગ અને ગ્રહણથી ભગવાન શૂન્ય છે. ભગવાન એટલે આત્મા. ભગ=લક્ષ્મી-જ્ઞાન-આનંદવાન (=વંત) =ભગવાન. એ જ્ઞાન અને આનંદનું પૂર પડ્યું છે, એ લક્ષ્મીવાન=આત્મા, એનું નામ ભગવાન કહીએ છીએ. આહા... હા! સમજાય એટલું સમજવું, પ્રભુ! આ માર્ગ તો અલૌકિક છે, બાપા! આ કાંઈ (ઉપર) ઉપરથી હાથ આવે એવું નથી. આ તો અંદર મહામોટો ભગવાન પડ્યો છે. ! હેયનું જ્ઞાન અને ત્યાગનું જ્ઞાન. અહીં બે શબ્દ છે ને..! હેય કહો કે ત્યાગ કહો, અને ઉપાદેય કહો કે ગ્રહણ કહો (એકાર્થ) છે). જેને અંતરમાં-પર્યાયમાં (એવી માન્યતા છે કે) પર્યાય બિલકુલ છે જ નહીં, અને પર્યાયમાં વિકાર છે જ નહીં, એને તો વ્યવહારજ્ઞાન પણ સાચું નથી. અહીં તો જેને વ્યવહારજ્ઞાન સાચું છે. કોને? કે જેને ભગવાન પૂર્ણાનંદ, પરમપરિણામિકસ્વભાવ, જ્ઞાયકભાવ, ભૂતાર્થભાવ, પર્યાયથી રહિત ભાવનો પર્યાયમાં અનુભવ થયો, (અર્થાત ) પર્યાયથી રહિત ભાવને પર્યાયમાં અનુભવમાં લીધો, ( તેને વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે). આહા.... હા! આવી વાત છે, પ્રભુ ! તારું ભગવંતસ્વરૂપ છે, નાથ ! તું નાનો નથી. (૮) સિદ્ધ સદશ છો ! એ ગાથા આવી ગઈ ને.! સિદ્ધ સદેશ પર્યાય સદેશ નહીં પણ સિદ્ધ સદેશ. જેવો સ્વભાવ સિદ્ધનો છે એવો તારો દ્રવ્યસ્વભાવ. (“સમયસાર નાટક” માં) આવે છે ને...! ચેતનરૂપ અનૂપ અમૂરતિ, સિદ્ધસમાન સદા પદ મેરી. મોહ મહાતમ આતમ અંગ, કિયો પરસંગ મહા તમ ઘેરી. ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહીં ગુન નાટક આગમકરી. જાસુ પ્રસાદ સર્વે સિવમારગ, વેગિ મિટૈ ભવવાસ બસેરો.” આહા... હા! આ ઘટ (શરીર) માં-માંસ ને હાડકાં-એમાં રહેવું, ભગવાન! કલંક છે. “ગધેડાંના સડલા ચામડામાં મેસૂબ'! એક શેર ચણાનો લોટ અને ચાર શેર ઘી, એને મેસૂબ કહે છે અને એક શેર ઘઉંનો લોટ અને ચાર શેર ઘી એને શક્કરપારા કહે છે. સકરકંદ (કરિયા) ની છાલને ન જુઓ તો એ સાકરની મીઠાસનો પિંડ છે, તેમ પર્યાયને ન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy