SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ ,, કથન છે. આહા... હા ! ગજબ વાત છે, પ્રભુ તારી!! તું કોણ છો ? ક્યાં છો ? કેવડો છો ? એ તને ખબર નથી. હવે, બીજી લીટી: “જે કોઈ વિભાવગુણપર્યાયો છે.” એનું સ્પષ્ટીકરણઃ જે કોઈ વિભાવગુણપર્યાયો છે-વિભાવગુણપર્યાય બધી હોં! ચારેય પર્યાય વિભાવભાવમાં. એટલા માટે વિભાવગુણપર્યાય. “ તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા.” ઉપાદેય અર્થાત્ જાણવાલાયક, ગ્રહણ કરવા લાયક. અહીંયાં ગ્રહવું એટલે જાણવું. સમજાણું ? પં. ટોડરમલજીએ ( ‘મોક્ષમાર્ગપ્રકાશક' માં ) સાતમા અધિકારમાં કહ્યું છે કેઃ “જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે (તેને તો ‘સત્યાર્થ ’ એમ જ છે, એમ જાણવું) અને કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી ' પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે, એમ જાણવું. એ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે.” ગ્રહણનો અર્થ એવો ન લઈ લેવો કે આ ય ગ્રહવાલાયક છે ને આ પણ ગ્રહવાલાયક છે. ગ્રહણ અર્થાત્ જાણવું... બસ ! સમજાણું કાંઈ ? ‘સમયસાર ’ગાથા-૧૨માં એ આવ્યું છેઃ “વવહારàસિવા પુળ ને વુ અપરમે ટ્ઠિવા ભાવે ” ( જે જીવો અપરમભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે.) જે અપરમભાવમાં (સ્થિત) છે તેને વ્યવહારમાં-પર્યાયમાં અપૂર્ણતા છે, શુદ્ધિ ઓછી છે અને અશુદ્ધતાનો અંશ છે એને ‘તવાત્વ’ જાણેલો તે કાળે પ્રયોજનવાન છે. એવો પાઠ સંસ્કૃતમાં (ટીકામાં) છે. ‘તવાત્વ’ માં ઘણી ગંભીરતા છે. સમય સમયનું જ્ઞાન જાણવા લાયક છે... બસ ! પહેલા સમયમાં શુદ્ધિ એવી (ઓછી ) હતી, અને પછી શુદ્ધિ વધી અને અશુદ્ધિ ઘટી, તેથી તે સમયે તે પ્રકારે જાણવું-ગ્રહણ છે. પર્યાયની ઉત્પત્તિ જ એવી હોય છે, ‘તવાત્વ' જે તે કાળે જાણવા લાયક છે. સમજાય છે કાંઈ ? ( બીજા ) બધા એવો અર્થ કરે છે કે ‘નીચલી દશામાં વ્યવહા૨નો ઉપદેશ ' કરવો. ( પણ ) એવો અર્થ જ નથી. અર્થ કરવામાં ઘણી વિપરીતતા થઈ ગઈ. અહીંયાં એ કહ્યું કે: “જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે વ્યવહારનયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા “પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ઘનિશ્ચયનયે ) તેઓ હેય છે.” શુદ્ઘનિશ્ચયનયના બળે... આહા... હા ! પોતાનો શુદ્ધ ચૈતન્ય ભગવાન, એ નિશ્ચયનયનો વિષય, એને અહીં ‘શુદ્ઘનિશ્ચયનયના બળે '... નય તો જ્ઞાનની પર્યાય છે પણ અહીં શુદ્ધનિશ્ચયનયના વિષયને શુદ્ઘનય કહ્યો છે, શુદ્ઘનિશ્ચયનયના બળથી... આહા... હા ! ‘ સમયસાર ’ ૧૧મી ગાથામાં કહ્યુંને...! “ વવદારોઽમૂયો મૂયો વેસિવો વુ સુદ્ધળો.” શુદ્ધનય ભૂતાર્થ દેખાડયો. ત્રિકાળ છે એને અમે શુદ્ધનય કહીએ છીએ. ‘વવહારોઽમૂયત્નો’ પર્યાયમાત્ર અભૂતાર્થ છે. ‘ભૂયો વેસિવો વુ સુદ્ધળો.' ભૂતાર્થ... ભૃતાર્થ ત્રિકાળ ભગવાન, શુદ્ધ ધ્રુવ, નિત્યાનંદ પ્રભુ તે જ શુદ્ઘનય છે. નય તો જ્ઞાનનો અંશ છે; અને ભૂતાર્થ છે તે તો એનો વિષય છે. પણ અધ્યાત્મની શૈલીમાં વિષયમાં ભેદ ન પાડતાં એ ભૂતાર્થને શુદ્ઘનય કહ્યો છે. પછી ત્રીજા પદમાં લઈ લીધું: “ સૂયત્વમસ્તિો ઘણુ સમ્માી હવદ્ નીવો.” 4 અહીં (‘નિયમસાર ’ ગાથા-૪૯માં) વ્યવહારનયના કથન દ્વારા (વિભાવગુણપર્યાયોને ) ઉપાદેય Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy