SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦ - પ્રવચન નવનીતઃ ભાગ-૨ જાગતો ( અર્થાત્ ) જ્ઞાયકભાવ. એવો જીવ ધ્રુવ છે. “તે ક્યાં જાય ?” ધ્રુવ ક્યાં જાય? ઓહો... હો! પણ કોને? કે જેને પર્યાયમાં ભાન થયું કે ‘આ તો જાગતો જીવ જયવંત વર્તે છે,' એવું સમ્યગ્દર્શન થયું એને ‘જાગતો જીવ જયવંત વર્તે છે' એમ ભાનમાં આવ્યું. જેને ( એ ) ચીજ ખ્યાલમાં આવી નથી તેને ‘જયવંત વર્તે છે’ –એમ કેવી રીતે કહેવાય ? સમજાણું કાંઈ ? આહા... હા ! એ જાગતો જીવ એટલે જ્ઞાયકભાવ અથવા સર્વ તત્ત્વોમાં સાર, સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર, દુર્વા૨ કામને નષ્ટ કર્યો છે, (પાપરૂપવૃક્ષને છેદનાર ), શુદ્ધજ્ઞાનનો અવતાર, (સુખસાગરનું પૂર, કલેશોદધિનો કિનારો) -એવો ત્રિકાળી (શુદ્ધાત્મા ), જ્ઞાનની પર્યાયમાં અને સમ્યગ્દર્શનની પર્યાયમાં, (જયવંત વર્તે છે). દ્રવ્ય પર્યાયમાં આવતું નથી પણ પર્યાયમાં દ્રવ્યનો ખ્યાલ આવ્યો કે-આ દ્રવ્ય આવું છે, જયવંત છે, ત્રિકાળ છે, ધ્રુવ છે, નિત્ય છે, શુદ્ધજ્ઞાનપુંજ પ્રભુ ધ્રુવ, અસ્તિપણે જયવંત વર્તે છે. પહેલાં નાસ્તિથી વાત કરીઃ સમસ્ત નાશ પામવા યોગ્ય ભાવોથી દૂર, જેણે દુર્વા૨ કામને નષ્ટ કર્યો છે, પાપરૂપવૃક્ષને છેદનાર છે અને અસ્તિથીઃ શુદ્ધજ્ઞાનનો અવતાર છે, (સુખસાગરનું પૂર છે, જયવંત વર્તે છે). જેને એવો ખ્યાલ આવ્યો એને અહીં કહે છે કે ‘જયવંત વર્તે છે' એવું ભાન થયું. પણ જે પર્યાયબુદ્ધિમાં, રાગબુદ્ધિમાં, રાગની રુચિમાં પડયો છે એને (તો) ‘જયવંત વર્તે છે’ એવી ચીજ તો ખ્યાલમાં આવી નહીં તો એને જયવંત વર્તે છે–એવું નથી. અને તો રાગ જયવંત વર્તે છે. આહા... હા! માર્ગ આવો છે, ભાઈ ! દ , એટલા બોલ કહીને છેલ્લે એ લીધું: “નયતિ સમયસાર: આ ચીજ છે એ જયવંત વર્તે છે! એ પર્યાયમાં અનુભવ થયો, શ્રદ્ધામાં ધ્યેય બનાવીને શ્રદ્ધા થઈ, નિર્વિકલ્પ અનુભવ થયો, એ કહે છે કે-આ ચીજ તો જયવંત વર્તે છે. આહા... હા ! સમજાય છે કાંઈ ? આમ તો અગિયાર અંગમાં ‘આત્મા નિત્ય છે, ધ્રુવ છે' (શું) નથી સાંભળ્યું? અનંત વાર અગિયાર અંગ કંઠસ્થ કર્યાં. એક આચારાંગમાં ૧૮ હજાર પદ છે અને એક એક પદમાં ૫૧ કરોડથી ઝાઝેરા શ્લોક છે! તો અગિયાર અંગ ભણ્યા એમાં આ વાત (શું) નથી આવી? ધારણામાં અને જાણવામાં તો આ વાત આવી હતી. પણ એનો અનુભવ નહોતો. આ ચીજ છે એવો એનો અનુભવ નહોતો. ( ‘ છઠ્ઠઢાળા ’) માં એમ કહ્યું ને.! “મુનિવ્રત ધાર અનંતબાર ગ્રીવક ઉપજાયો; હૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાૌ.” –એનો અર્થ શું થયો? કેઃ પંચ મહાવ્રત આદિ પરિણામ એ સુખ નથી, દુ:ખ છે. મુનિવ્રત ધાર અનંત વાર ત્રૈવેયકમાં ઉત્પન્ન થયો. પણ આત્મજ્ઞાન વિના લેશ સુખ પામ્યો નહીં અર્થાત્ તે દુ:ખ હતું ! આહા... હા! આકરી વાત છે, પ્રભુ! ‘કલશ' માં પહેલાં એ આવી ગયું છે. વાત કઠણ તો છે. અશક્ય નથી પ્રભુ! તારી ચીજ છે ને ! " અન્યમતમાં આવે છે: “મારી નજરને આળસે રે મેં નીરખ્યા ન નયણે હરિ. ” આપણે ‘હરિ’ આત્માને કહે છે. ‘ પંચાધ્યાયી ’ માં છે. ‘પાપમ્ અઘક્ હૈંતિ તિ રિ’. ‘હર’ કોને કહે છે? તે ( અન્યમતિ ) રિ કહે છે તે નહીં. (પણ) જે પુણ્ય-પાપના ભાવને હરિત-નાશ કરે; પર્યાયમાં સ્વભાવની ઉત્પત્તિ હોય, સંખ્યામાં અનંતગુણ, બધા ગુણોનો એક અંશ વ્યક્ત હોય; એણે આત્માને નજરે જોયો. બાકી નયણની આળસે રે, પોતાની નજરની આળસે ( એટલે ) નજર પર્યાયમાં ને રાગમાં રોકાઈ ગઈ, (તેથી) ભગવાનને જોયા નથી. ત્યાં (રાગાદિના ) પ્રેમમાં ફસાયો. Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008279
Book TitlePravachana Navneet 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy